ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ગુરુવારે મોડી રાતે એક વુદ્ધ દંપત્તીની હત્યા કરી દેવાઈ. પોલીસે શુક્રવારે સવારે 70 વર્ષીય નરેન્દ્ર નાથ, પત્ની સુમન નાથ(65)ના મૃતદેહને તેમના ઘરમાંથી મેળવ્યો.
પતિ પત્નીની બોર્ડી અલગ અલગ જગ્યાએથી મળી
સુમનની જ્વેલરી અને 25 હજારની ચોરી થઈ
મરનાર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના કઝિન ભાઈ- ભાભી હતા
સુમનને ખરાબ રીતે માર મારી ગોળી મારવામાં આવી
શરીર પર ઈજાના નિશાન હતા. જેનાથી જાણવા મળ્યું કે બન્નેની ક્રુરતાથી હત્યા કરવામાં આવી છે. નરેન્દ્રના હાથ બાંધી દેવામાં આવ્યા હતા. તેમના મોંઢા પર ટેપ હતી. જે બાદ તેમનું ગળું દબાવીને મારી નાંખવામાં આવ્યા હતા. પત્ની સુમનને ખરાબ રીતે માર મારી ગોળી મારવામાં આવી હતી.
મરનાર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના કઝિન ભાઈ- ભાભી હતા
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર નાથ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના કઝિન ભાઈ હતા. તેમનો દિલ્હીમાં સ્પેરપાર્ટ્સનો બિજનેસ હતો અને જિલ્લાના પોલીસ સ્ટેશન બીટા 2 વિસ્તારમાં ઉલ્ફા 2 સેક્ટરમાં રિટાયરમેન્ટ બાદ જિંદગી વિતાવી રહ્યા હતા. પોલીસ અને પારિવારિક સૂત્રોના જણાવ્યાનુંસાર સુમન દિલ્હીમાં યોગા ટિચર હતા. પોલીસ આયુક્ત આલોક સિંહે જણાવ્યું કે અલ્ફા 2 સેક્ટર આઈ 24 નંબરના મકાનમાં રહેતા દંપત્તિની હત્યા થયાની જાણકારી મળી છે.
પતિ -પત્નીની બોર્ડી અલગ અલગ જગ્યાએથી મળી
સિંહે જણાવ્યું કે સુમની બોર્ડી તેમના ઘરના પહેલા માળ પર મળી જ્યારે નરેન્દ્ર નાથની બોર્ડી તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા એક સ્ટોરમાં મળી. તપાસમાં જાણવા મળ્યું છે કે ગત મોડી રાતે કેટલાક લોકો આવ્યા હતા અને ત્યાં પાર્ટી થઈ હતી. આ દરમિયાન તેમના દીકરા રોહિત નાથે પત્રકારોને જણાવ્યું કે તેની કે તેમના પરિવારની કોઈ સાથે દુશ્મની નથી.
સુમનની જ્વેલરી અને 25 હજારની ચોરી થઈ
તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાંથી સુમનની જ્વેલરી અને 25 હજારની ચોરી થઈ છે. સ્ટોરમાં પ્લેટો અને દારુની બોટલો તથા નુડલ્સ તથા મોમોઝના સંકેત મળ્યા કે ઘરમાં મહેમાન આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘરમાં ઘટના 11 વાગ્યા બાદ થઈ છે. આ દરમિયાન સુમને છેલ્લી વાર કોઈ સાથે ફોન પર વાત કરી હતી.