જનતા પાર્ટીમાંથી બે વખત સાંસદ રહી ચૂકેલા મેરઠ નિવાસી પ્રેમ મનોહરના નિધનને લાંબો સમય થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે દિવંગત પ્રેમ મનોહરની જમીન અંદાજે 80 વીઘા હાઈવે પહોળો કરવામાં લઇ લેવામાં આવી છે. જેની સહાય લગભગ 1 કરોડ રૂપિયા થાય છે.
દિવંગત સાંસદ પ્રેમ મનોહરના નિધનને લાંબો સમય વિતી ગયો
એક વ્યક્તિએ પોતે પ્રેમ મનોહર હોવાનો દાવો કર્યો
સંબંધિત દસ્તાવેજ મુકી સહાયની કરી માંગ, સહાય અટકાવાઈ
અધિકારીઓએ સહાય આપવાની પ્રક્રિયાને અટકાવી
આ દરમ્યાન 1 કરોડ રૂપિયાની સહાયને લઇ અધિકારીઓ સામે એવા સમયે અજીબ સ્થિતિ સામે આવી. જ્યારે એક વ્યક્તિએ પોતાને પ્રેમ મનોહર ગણાવી સંબંધિત દસ્તાવેજ અધિકારીઓની સામે મુકી વળતરની રકમ માંગી. આ વ્યક્તિએ પ્રેમ મનોહરના નામની બેંક ખાતાની સંપૂર્ણ વિગતો પણ આપી છે. આ ચૂકવણીની પ્રક્રિયા શરૂ થવાની હતી કે પહેલાં અન્ય એક વ્યક્તિએ પોતાને દિવંગત સાંસદ પ્રેમ મનોહરનો પુત્ર બતાવી દાવો કર્યો કે તેમનુ નિધન 8 વર્ષ પહેલા થઇ ગયુ છે. અધિકારીઓએ વળતર આપવાની પ્રક્રિયા તાત્કાલિક અટકાવી બંનેની તપાસ એસડીએમ મવાનાને સોંપી છે.
પ્રેમ મનોહર જનતા પાર્ટીના નેતા હતા
6 ઓક્ટોબર 1923ના રોજ જન્મેલા પ્રેમ મનોહર જનતા પાર્ટીના નેતા હતા. પ્રથમ વખત 1968 થી 1974 સુધી અને બીજી વખત 1977 થી 1980 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યાં છે. પ્રેમ મનોહરના નામે રાષ્ટ્રીય રાજમાર્ગ 119 (મેરઠ-પૌડી હાઈવે) પર બહસૂમાની પાસે ગામ સરસપુરમાં અંદાજે 80 વીઘા કૃષિ જમીન છે. હાઈવે પહોળો કરવામાં પ્રેમ મનોહરની જમીન લઇ લેવામાં આવી છે. જેની સહાય અંદાજે 1 કરોડ રૂપિયા થાય છે. જેની ચૂકવણી માટે પ્રેમ મનોહર જાતે એસડીએમ ભૂમિ અધ્યાપ્તિના કાર્યાલયે પહોંચ્યા અને આધાર કાર્ડ, રહેઠાણ, ઓળખ પત્ર તથા બેંક ખાતાની પાસબુક વગેરે દસ્તાવેજ રજૂ કરી દાવો કર્યો હતો.
ખોટા દસ્તાવેજ બનાવતા અધિકારીઓ પણ હેરાન
જિલ્લા અધિકારીના નિર્દેશ પર આ મામલાની તપાસ એસડીએમ મવાનાને સોંપવામાં આવી છે. આ બંને દાવાની તપાસ કરવામાં આવશે. જો પ્રેમ મનોહરનું નિધન સાબિત થાય તો તપાસ થશે કે પ્રેમ મનોહરના નામે ખોટા દસ્તાવેજ કેવીરીતે બન્યાં? ઘણાં દસ્તાવેજોમાં લેખપાલની રિપોર્ટ છે. આ સાથે લેખપાલે પ્રેમ મનોહરનું ડેથ સર્ટીફિકેટ પણ જાહેર કર્યુ છે. જોકે, આ સમગ્ર કાર્યવાહીના નિશાને લેખપાલ છે.