જામનગરઃ પુર્વ ધારાસભ્ય રાઘવજી પટેલને એક વર્ષ બાદ અચાનક આત્મજ્ઞાન થયું છે. રાજ્યસભાની ચૂંટણી સમયે પક્ષ પલ્ટો કરનારા ધારાસભ્યો પૈકીના એક એવા રાધવજી પટેલને હવે આત્મજ્ઞાન થયું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પિતાના ખબર અંતર પુછવા આવેલા રાઘવજી પટેલને જ્યારે ભાજપ સાથે તેની નારાજગી અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે અલગ અંદાજમાં જવાબ આપ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે મારી નારાજગી માટે કિસ્મત સાથે છે. સત્તા લેવા ગયો અને ઘર ભેગો થયો. રાઘવજીના વાક્યોમાં પક્ષ છોડ્યા બાદ પસ્તાવાનો સુર દેખાઈ રહ્યો છે. કારણ કે કોંગ્રેસ છોડીને ભાજપને હાથ પકડનારા રાઘવજી વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. મારી કોઈ નારાજગી નથી. મારી નારાજગી તો કિસ્મત સાથે છે ભાઈ સત્તા લેવા ગયો હતો અને ઘરભેગો થઈ ગયો.
મહત્વનું છે કે ચૂંટણી સમયે કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય રાધવજી પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા.