બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું જે બાદ તેમણે કોંગ્રેસ પર બળાપો કાઢ્યો તેમણે કહ્યું કે..ઉશ્કેરણીજનક ભાષણ કરી મોટો નેતા થતા મને આવડે છે
પૂર્વ MLA મણીલાલ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું
મણીલાલ વાઘેલાએ કોંગ્રેસ પર કાઢ્યો બળાપો
મણીલાલ વાઘેલાએ કોંગ્રેસ પર બળાપો કાઢ્યો
બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું જે બાદ તેમણે કોંગ્રેસ પર બળાપો કાઢ્યો હતો. રાજીનામું આપ્યા બાદ મણીલાલ વાઘેલાની VTV સાથે વાતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે અનેક દલિક કાર્યકર્તાઓ છે તો અપક્ષનો ટેકો શા માટે લેવો જોઇએ,ઉશ્કેરણીજનક ભાષણ કરી મોટો નેતા થતા મને આવડે છે.. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જાતિવાદી ભાષણો કરતા પક્ષમાં મારે રહેવું નથી, અમે કોંગ્રેસ પક્ષને મજબૂતચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરતું કોંગ્રેસને અમારા જેવા કાર્યકર્તાઓની જરૂર નથી.. વધુમાં મણિલાલા વાઘેલાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં કાર્યકર્તાઓની કોઇ કિંમત જ નથી, કોને રાખવા કોને ન રાખવા તે દિલ્હીથી નિર્ણય થાય છે વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં દિલ્હીમાં શું થાય છે એ ગુજરાતમાં કોઇને ખબર નથી હોતી...
પૂર્વ MLA મણીલાલ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામું
કોંગ્રેસમાંથી એક પછી એક જૂના કાર્યકરો છેડો ફાડી રહ્યા છે. ત્યારે વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય છે. મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી છે તેમજ 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. એટલું જ નહીં 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાએ વડગામ વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ સીટીંગ MLA ફકીરભાઈ વાઘેલાને હરાવ્યાં હતાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. જેથી હવે પૂર્વ ધારાસભ્યએ આ બેઠકને લઈને નારાજગી દર્શાવતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા..