કોંગ્રેસના પૂર્વ MLA ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત અન્ય ત્રણ કોર્પોરેટર ઈન્દ્રનીલની સાથે આવતી કાલે અમદાવાદ આવશે.
પૂર્વ MLA ઇંદ્રનીલ રાજ્યગુરુ ના AAP પ્રવેશ નું કાઉન્ટ ડાઉન
ઇન્દ્રનીલ કોંગ્રેસ ના 'હાથ' નો 'સાથ' બીજીવાર છોડશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ સમર્થકો અને કાર્યકરો સાથે રાત્રે બેઠક કરી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. ગત રોજ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ભાવનગરમાં પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે.ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા અન્ય કોર્પોરેટર આવતી કાલે અમદાવાદ આવશે. જો કે, આપમાં પ્રવેશ માત્ર ઈન્દ્રનીલ રાજ્યગુરુ જ જોડાશે.
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના AAP પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના AAP પ્રવેશનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઇન્દ્રનીલ કોંગ્રેસના હાથનો સાથ બીજીવાર છોડશે. ઉલ્લેખનીય છે કે,
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમર્થકો અને કાર્યકરો સાથે રાત્રે કરી બેઠક કરી હતી.
કોંગ્રેસ છોડી AAP માં જવાના નિર્ણય અંગે મુક્ત મને કરી ચર્ચા
અને કોંગ્રેસ છોડી AAPમાં જવાના નિર્ણય અંગે મુક્ત મને કરી ચર્ચા કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસમાં રાજીનામું આપશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં CM અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં જોડાશે. બીજી બાજુ પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર વશરામ
પંજાબ બાદ AAPની નજર હવે ગુજરાતમાં છે
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીએ હાલમાં પંજાબમાં નવી સરકાર બનાવી છે. પંજાબ બાદ AAPની નજર હવે ગુજરાતમાં છે. ત્યારે હવે AAPના ટોચના નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થશે. આ સાથે જ AAP ભાજપને જોરદાર ટક્કર આપવા વિવિધ રણનીતિ ઘડી રહ્યું છે. પંજાબમાં ચૂંટણી જીત્યા પછી AAPએ કહ્યું હતું કે, દિલ્હી પછી પંજાબ અને હવે ગુજરાતમાં પરિવર્તન લાવીશું.