કોરોના દરમિયાન દર્દીઓની સારવારને લઈને પૂર્વ મંત્રી યોગેશ પટેલે તબીબો પર મોટા આક્ષેપો બાદ ચોંકાવનારા ખુલાસો કર્યો છે.
પૂર્વ મંત્રી યોગેશ પટેલનો ચોંકાવનારો ખુલાસો
કોરોના કાળને લઇ ડૉક્ટરો સામે કર્યા ગંભીર આક્ષેપો
કોરોનામાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો કરોડો કમાયા
પૂર્વ મંત્રી યોગેશ પટેલે તબીબોને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, તેમણે કોરોના કાળમાં તબીબોની સેવાને લઈને આક્ષેપો કર્યા છે જેમાં માત્ર વડોદરામાં જ ખાનગી હોસ્પિટલના તબીબોએ કરોડો રૂપિયા કમાયા હોવાનો તેમના દ્વારા ઉલ્લેખ કરાયો છે.
કોરોના કાળને લઇ ડૉક્ટરો સામે કર્યા ગંભીર આક્ષેપો
મહત્વનું છે કે વારંવાર તબીબો પર હુમલાની ઘટના સામે આવતી હોય છે, એવામાં વારસિંયા રિંગ રોડ પાસે આવેલી શ્રી હોસ્પિટલમાં તબીબ પર હુમલા બાદ IMAએ વકીલ મંડળને હુમલો કરનાર પરિવારનો સભ્યોને કેસ ન લડવાની અપીલ કરી હતી. જો કે સમગ્ર મામલે પૂર્વ મંત્રી યોગેશ પટેલ દ્વારા તબીબોને સંયમથી વર્તવા સહાલ આપી હતી.
કોરોના કાળને લઇ ડૉક્ટરો સામે કર્યા ગંભીર આક્ષેપો
યોગેશ પટેલે કોરોના કાળમાં હોસ્પિટલોની આપખુદીને લઈને તબીબો પર આક્ષેપ કર્યા હતા, તેમણે કહ્યું કે હોસ્પિટલો ક્યારેય દર્દીની સારવાર માટેનો ચાર્જ કેટલો થશે તેનાં બોર્ડ લગાવાતાં નથી. કોરોના કાળમાં એકલા વડોદરામાં જ ખાનગી ડોક્ટરોએ 1880 કરોડ રૂપિયા કરામાયા છે. વડોદરાની 160 ખાનગી હોસ્પિટલમાં 37 હજાર 602 કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર અપાઇ હતી, જેમાં દર્દી દીઠ સરેરાશ 5 લાખ ખર્ચ ગણતા આંકડો 1880 કરોડ થાય છે. આમ અનેક દર્દીઓના હોસ્પિટલના બીલ 2થી 40 લાખ થયા છે. પૂર્વ મંત્રી યોગેશ પટેલે વધુમાં જણાવ્યું કે સરકારે સારવારની ફી અડધી ન કરી હોત તો ડૉક્ટરો 3500 કરોડ કમાયા હોત, આમ કોરોના કાળમાં સરકારે મોટી કમાણી કરી છે.
કોરોનામાં ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો કરોડો કમાયા
પૂર્વ મંત્રી યોગેશ પટેલે તબીબો પર આક્ષેપ કરતા કહ્યું કે તબીબો દર્દીના ટેસ્ટ માટે ચોક્કસ લેલમાં મોકલે છે, દવા ખરીદવા ચોક્કસ દવાના સ્ટોરનો આગ્રહ રાખે છે. જેને લઈને યોગેશ પટેલે IMAના પ્રમુખને તબીબોને સંયમમાં રહેવાની સલાહ આપી છે એટલું જ નહીં તબીબ સગાને સાચી વાત જણાવે અને સારુ વર્તન કરે તો તબીબો પર હુમલા નહીં થાય તેવું જણાવ્યું છે.