પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ઇમર્જન્સી વોર્ડમાં હાલમા ખસેડવામાં આવ્યા છે. હાલ તે ડોકટરોની દેખરેખ હેઠળ છે.
હરસિમરત કૌર બાદલ ની તબિયત લથડી
શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ
ચંડીગઢની પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા[
શિરોમણિ અકાલી દળના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ થયાની ફરિયાદ બાદ તેને ચંડીગઢના પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. હરસિમરત કૌર બાદલ નો કોરોના ટેસ્ટ પણ કરાઈ હતી, જેનો રિપોર્ટ નેગેટિવ બહાર આવ્યો હતો.તેમને ઇમરજન્સી વોર્ડમાં હાલ એકાંતમાં રાખવામાં આવ્યા છે અને ડોકટરોની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે.
કૃષિ કાયદાઓના વિરોધમાં મોદી સરકારમાંથીન રાજીનામું આપ્યું હતું
હરસિમરત કૌર બાદલ મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તે કેન્દ્રીય ખાદ્ય અને પ્રોસેસીંગ ઉદ્યોગ પ્રધાન હતા. તેમણે કૃષિ કાયદાના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે કેન્દ્રના નવા કાયદાઓને ખેડૂતો સાથે મોટી છેતરપિંડી સમાન ગણાવ્યા હતા. એટલું જ નહીં, અકાલી દળને NDA થી અલગ કરવાની જાહેરાત કરીને સુખબીર બાદલે પંજાબની ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે, અકાલી દળ પંજાબમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહી છે. જોકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અકાલી દળ પર આરોપ લગાવ્યો હતો કહ્યું હતું કે જ્યારે અકાલી દળ કેન્દ્ર સરકારમાં સામેલ હતા ત્યારે આ કાયદા બનાવવામાં આવ્યા હતા, તો પછી ત્યાં વિરોધ કેમ ન કર્યો.
તે જ સમયે, તાજેતરમાં, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલે કૃષિ કાયદાના વિરોધમાં તેમનો પદ્મ વિભૂષણ સન્માન પાછો આપ્યો હતો. પ્રકાશસિંહ બાદલે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો, જેમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો, ખેડૂતો પર કાર્યવાહીની નિંદા કરવામાં આવી હતી અને તેમનું સન્માન પાછું આપી દીધું હતું.