ગુજરાત સરકારના પૂર્વ રાજ્ય મંત્રીનાં પોતાના મત વિસ્તારના રોડ-રસ્તા બિસ્માર થયા હોવાનું દુખ થયું છે. પરંતુ,દોષનો ટોપલો સ્થાનિક નગરસેવક પર ઢોળ્યો છે.સ્વાભાવિક વાત છે કે, નગર સેવક વિરોધી પાર્ટીના છે.એટલે પૂર્વ મંત્રીને 'દોડવું હતું 'ને ઢાળ મળી ગયા જેવી સ્થિતિ' થઇ છે.રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી સમગ્ર શહેરના રોડ-રસ્તાની વાત નથી કરતા પરંતુ પોતના વિસ્તારના રસ્તા આટલા ખરાબ હોય તે એમને મંજૂર નથી.પૂર્વ મંત્રીએ મહાનગર પાલિકા સુરતના મ્યુનીસીપલ કમિશનરને પત્ર લખી ઘટતું કરવા રજૂઆત કરવી પડી હતી.
પૂર્વ મંત્રી કાનાણીએ શું કહ્યું છે પત્રમાં ?
સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી રહેલા કુમાર કાનાણીએ સુરતના મ્યુનિસીપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે. કાનાણીએ પત્રમાં રજૂઆત કર્યા મુજબ,પોતાના મત વિસ્તારના રસ્તાઓ લાંબા સમયથી બિસ્માર છે અને હાલત ખસ્તા હાલ છે. સ્થાનિક નગર સેવક અને અધિકારીઓ રોડ-રસ્તા મુદ્દે ગંભીર નથી. અને કોઈ કામ થતા નથી.કાનાણીએ સ્થાનિક કક્ષાએ આડકતરી રીતે ભ્રષ્ટ્રાચાર ચાલતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.મહા પાલિકા કમિશનરને પત્રમાં લખ્યું છ કે,સ્થાનિક કક્ષાએ વહીવટી તંત્ર રસ નથી લેતું.કાનાણીનો સીધો આક્ષેપ, સ્થાનિક નગર સેવક પર છે.સ્થાનિક નગર સેવક આમ આદમી પાર્ટીનાં છે.પરિણામે કામ કરવામાં રસ નથી એટલે કામ થતા નથી.તેમને એ પણ નોંધ્યું કે, અધિઅકરિઓને માત્ર બાંધકામમાં જ રસ છે અને રોજ સવારે જ્યાં નવા બાંધકામ થતા હોય ત્યાં પહોચી જાય છે.
પૂર્ત્રીમંત્રી સરકારમાં કેમ જાણ નથી કરતા
આપને ખ્યાલ હશે જ કે,રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદી સુરતના જ છે અને ગત સપ્તાહે જ એક વોટસઅપ નંબર આપી રોડ-રસ્તાની ફરિયાદ હોય તો જણાવવા આહ્વાન કર્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી કાનાણીની પોતાની જ પાર્ટીના મંત્રી, સુરતમાં એક જ પાર્ટીમાં સાથે કામ કરવાનો અનુભવ છતાં,કાનાણી સીધા વિભાગના કેબીનેટ મંત્રીને કેમ જાણ નહિ કરતા હોય ? તેવો સવાલ હવે વરાછામાં પૂછાઈ રહ્યો છે.
ખુરશી જતા જ કાનાણી વરાછા બેઠક માટે ચિંતિત થયા
પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીની સરકાર બદલાવવા સાથે જ મંત્રીપદની ખુરશી જતા તેઓ પોતાના મત વિસ્તાર માટે ચિંતિત થયા હાતા. તેમની ચિંતા આગામી વિધાન સભા ચૂટણીમાં વરાછા વિસ્તારમાં ભાજપના પ્રદર્શનને લઈને હતી. તેઓ એ કહ્યું હતું કે,2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અહીં જીતશે કે કેમ તેની આશંકાઓ વ્યક્ત કરી હતી. કાનાણીના આ નિવેદન બાદ એ પણ પ્રશ્નો ઉત્યા હતા કે, કાનાણી ભાજપમાં હવે કેટલા સમય સુધી રહેશે ?