જૂનાગઢ મનપાના પૂર્વ મેયર રહેલા લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યા, ધર્મેશ પરમારની હત્યાનું કારણ અકબંધ
જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા
પૂર્વ મેયરના પુત્ર ધર્મેશ પરમારની હત્યા
ધર્મેશ પરમારની હત્યાનું કારણ અકબંધ
જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા કરી દેવાઈ છે. પૂર્વ મેયર રહેલા લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી છે. ધર્મેશ પરમારની હત્યાનું કારણ અકબંધ છે. જૂનાગઢ SP, LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના બીલખા રોડ પર રામનિવાસ નજીક બની હતી. જ્યાં ધર્મેશ પરમારને જાહેરમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ધા માર્યા હતા. સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ધર્મેશ પરમારને મૃત જાહેર કરાયો હતો.
પૂર્વ મેયરના પુત્રની હત્યા બાદ મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને પોલીસ સામે નારાજગી દર્શાવી હતી. તો આ સાથે પરીવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર પણ કર્યો છે. આરોપી પકડાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાની પરિવારજનોની માગ છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
જૂનાગઢ મનપાના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચર્ચાઓ થઈ રહી છે. પોલીસના પણ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હત્યાના રહસ્યને લઈ સૌ કોઈના મનમાં સવાલ છે. ઘટના સ્થળે એક વાહન સહિત લોખંડનો સળિયો પણ મળ્યો છે. પોલીસ આ તમામ વસ્તુઓની તપાસ કરી રહી છે.