મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કેવડિયા પહોચ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહનો કેવડિયામાં વિરોધ કરવામાં આવ્યો છે. આદિવાસી યુવક દ્વારા વિરોધ કરતા પોલીસે અટકાયત કરી છે.
વડોદરા: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કેવડિયા પહોચ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહનો કેવડિયામાં વિરોધ કરવામાં આવ્યો છે. આદિવાસી યુવક દ્વારા વિરોધ કરતા પોલીસે અટકાયત કરી છે.
गुजरात की पुण्यभूमि पर आकर धन्य हो गया। सरदार वल्लभभाई पटेल, जिन्होंने देशी रियासतों का विलय करके भारत को एक किया। उनका सपना था कि मां नर्मदा पर बांध बने और गुजरात की सूखी धरती की प्यास बुझे। गुजरात शस्य श्यामला बने और मध्यप्रदेश को भी फायदा हो। उनका सपना साकार हुआ है। @souindiapic.twitter.com/BRRmFuTidw
— Chowkidar Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 16, 2019
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ દરેક રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર કરવા માટે ઉતાર્યા છે ત્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજરોજ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા.
सरदार वल्लभभाई पटेल जिस स्थान पर बांध बनाना चाहते थे, उसी स्थान पर उनकी इस अद्भुत प्रतिमा, जो दुनिया की सबसे ऊंची होने के साथ-साथ भव्य भी है, के निर्माण के लिए माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को धन्यवाद देता हूं। @souindiapic.twitter.com/zkpvngEGIA
— Chowkidar Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 16, 2019
ગુજરાતની મુલાકાતે આવતા પહેલા શિવરાજ સિંહ ચૌહાણે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ગુજરાત પ્રવાસ વિશે એક તસવીર પોસ્ટ કરી હતી અને ગુજરાતીમાં લખ્યું હતું કે, 'કેમ છો ગુજરાત? મારા વ્હાલા ભાઈઓ અને બહેનો ને જણાવવાનું કે હું આજે હાલોલ, ગાંધીનગર અને અમદાવાદ આવી રહ્યો છું! '
सरदार वल्लभभाई पटेल के जीवन से जुड़ी हुई घटनाएं, यहां फिल्म के रूप में देखने को मिलती हैं। इससे ज्ञानवर्धन होता है तथा अपने देश को और महान बनाने के लिए प्रेरणा मिलती है। प्रधानमंत्री श्री @narendramodi और इस स्टैच्यू के निर्माण से जुड़े सभी को प्रणाम करता हूं। @souindiapic.twitter.com/yolt4oPzKy
— Chowkidar Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 16, 2019
આ સાથે ગુજરાતના પ્રવાસે આવેલ ચૌહાણે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને ચૂંટણી સભાને પણ સંબોધન કર્યું હતું તો તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી પરંતુ ત્યાં આદિવાસી યુવકોએ તેમનો વિરોધ કર્યો હતો. જો કે, પોલીસે વિરોધ કરનાર યુવકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કેમ છો ગુજરાત? મારા વ્હાલા ભાઈઓ અને બહેનો ને જણાવવાનું કે હું આજે હાલોલ, ગાંધીનગર અને અમદાવાદ આવી રહ્યો છું!
— Chowkidar Shivraj Singh Chouhan (@ChouhanShivraj) April 16, 2019
આપને જણાવી દઇએ કે, ચૂંટણીને લઇ ગુજરાત પ્રવાસે આવેલ શિવરાજ સિંહ ચૌહાણે એક સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, મધ્યપ્રદેશની લોકસભા ચૂંટણીમાં જે થવાનું હતું તે થઇ ગયું પરંતુ આગામી લોકસભા ચૂંટણીમાં કોઇપણ પ્રકારની ચૂંક ના રહી જાય અમે 29 બેઠકો માટે મહેનત કરીશું તમે 26 બેઠકો માટે વડાપ્રધાન મોદીની જીત નક્કી કરો.