નવી દિલ્હીઃ લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન થયું છે. તેમને કિડનીની બીમારીને લઇને કોલકાતાના એક હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા હતા.
સોમનાથ ચેટર્જીનું 89 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બિમારી ચાલી રહી હતી. તેઓ કોલકાતાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સોમનાથ ચેટર્જી 10 વાર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમને હાર્ટ એટેકનો હુમલો આવતા નિધન થયું હતું.
તેમને તબિયત નાદુરસ્ત થવાથી તેમને ગત 10 ઓગષ્ટના રોજ કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. માકપાના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જી કોંગ્રેસની આગેવાની વાળી યૂપીએ-1 સરકારમાં 2004થી 2009 સુધી લોકસભાના અધ્યક્ષ રહ્યા હતા.
યૂપીએ-1ના શાસનકાળ દરમિયાન તેમની પાર્ટી સીપીએમ તરફથી સરકારનું સમર્થન પાછુ લીધા બાદ તેમને સ્પીકર પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે તેવુ કરવાની ના પાડી દીધી હતી.