જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ ફરીથી એક વિવાદિત નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે "કાશ્મીરના યુવાનો પાસે હથિયાર ઉપાડવા સિવાય કોઈ વિકલ્પ જ નથી."
જમ્મુ કાશ્મીરના પૂર્વ CM મુફ્તીનું વિવાદિત નિવેદન
કાશ્મીરનો યુવાન બેરોજગાર , બંદૂક સિવાય વિકલ્પ નથી : મુફ્તી
બિહારની ચૂંટણી અંગે કહ્યું "હું તેજસ્વીને અભિનંદન આપું છું"
આ સાથે, તેમણે બિહારની ચૂંટણી અંગે કહ્યું કે હું તેજસ્વી યાદવને અભિનંદન આપવા માંગુ છું કે આટલા નાના હોવા છતાં, જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તેમણે એક નરેટીવ સેટ કર્યું હતું. બિહારમાં આજે રોટલા, કાપડ, આજીવિકા, ઘરણા નારા ગૂંજી રહ્યા છે.
#WATCH मैं तेजस्वी को बधाई देना चाहूंगी कि इतना छोटा होने के बावजूद, विपक्ष में होने पर उसने नेरेटिव सेट किया रोटी, कपड़ा, रोजी, मकान और इनकी 370, 35ए, ज़मीन खरीदो नहीं चला...आज इनका वक्त है, कल हम सबका वक्त आएगा और वही होगा जो ट्रंप के साथ हुआ है: PDP प्रमुख महबूबा मुफ्ती, J&K pic.twitter.com/oDOWy2gMIb
કાશ્મીરનો એજન્ડા બિહાર ચૂંટણીમાં ન ચાલ્યો : મુફ્તી
જમ્મુ-કાશ્મીર માં ભાજપનો 370, 35A, જમીન-ખરીદીનો એજન્ડા ત્યાં ચાલ્યો નથી, આજે તેમનો સમય છે, આવતી કાલે આપણો ( કાશ્મીરીઓનો ) સમય હશે અને ટ્રમ્પ સાથે જે બન્યું તેવું જ તેમની સાથે ( ભાજપ ) સાથે થશે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુમાં ભાજપ સરકાર દ્વારા જમ્મુ કાશ્મી રની સ્થિતિ વધુ કથળી હતી. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના રોજગાર અને જમીનના અધિકાર પણ છીનવાઈ ગયા છે. જમ્મુ કાશ્મીર ના સંસાધનોને લૂંટવા ઉપરાંત દૂધ નદીઓના વહેણની વાત કરનારી ભાજપ સરકાર અહીંના લોકોની જમીન રોજગાર પણ છીનવી રહી છે.
કાશ્મીરના યુવાનો પાસે હથિયાર ઉપાડવા સિવાય વિકલ્પ જ નથી : PDP અધ્યક્ષ
તેમણે કહ્યું કે કાશ્મીરના યુવાનોને કાં તો જેલમાં ધકેલી દેવામાં આવે છે, અથવા તો તેમને બંદૂકો ઉપાડવાની ફરજ પડાઈ રહી છે. સરકારે આવી પરિસ્થિતિઓ ઊભી કરી છે કે યુવાનો પાસે ફક્ત બંદૂક ઉપાડવા અથવા જેલમાં જવાનો વિકલ્પ બાકી બચે છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે સરદાર પટેલે જમ્મુ કાશ્મીર ને કલમ ૩૭૦ હેઠળ ખાસ દરજ્જો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ડો. ભીમરાવ આંબેડકરે તેને બંધારણમાં સ્થાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીર માટે આર્ટીકલ ૩૭૦ વ્યાજ સાથે પાછું મેળવીને જ રહીશું, અને વધુમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરનો ઝંડો તેમણે એટલો જ પ્રિય છે જેટલો કે દેશનો ઝંડો તેમણે પ્રિય છે.