અમદાવાદ / ગુજરાતના બહુચર્ચિત આ પૂર્વ IPS અધિકારી સામે આપઘાત કેસમાં ગુનો દાખલ કરવા આદેશ

Former IPS officer of Gujarat most famous Suicide case filed in crime

તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ અને મહાઠગ અશોક જાડેજાની તપાસ કરનાર નિવૃત્ત આઇપીએસ અધિકારી  વી.વી. રબારી તેમજ નવસારીના પીએસઆઇ સહિત ૮ લોકો વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા માટે સ્ટેટ હ્યુમન રાઇટ્સ (ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ)એ વાડજ પોલીસને આદેશ કર્યાે છે. આઠ મહિના પહેલાં મુંબઇમાં થયેલા એક યુવકના આપઘાત કેસમાં તેના પિતાએ કરેલી ફરિયાદના આધારે આ આદેશ આપવામાં આવ્યાે છે.  

બ્રેકિંગ ન્યૂઝ