ગુગલીના માસ્ટર બીએસ ચંદ્રશેખરની તબિયત ખરાબ થઇ ગઇ છે અને તે બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર 75 વર્ષના ચંદ્રશેખરને સ્ટ્રોક આવ્યો હતો અને ડોક્ટર્સે કહ્યું કે, હવે તેમની હાલ સ્થિર છે અને તે સાજા પણ થઇ રહ્યાં છે.
પૂર્વ ભારતીય ક્રિકેટરની તબિયત લથડી
બેંગ્લોરની હોસ્પિટલમાં કરાયા દાખલ
ડૉક્ટર્સના કહ્યાં અનુસાર સ્થિતિ સ્થિર
ચંદ્રશેખરનું કરિયર
1945માં મૈસુરમાં જન્મેલા ચંદ્રશેખરના કરિયરની વાત કરીએ તો તેમણે 58 ટેસ્ટ અને 1 વનડે મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 58 ટેસ્ટમાં તેમના નામે 2.70ની ઇકોનોમીથી 242 વિકેટ છે જેમાં તે 12 વાર 4 વિકેટના ક્લબમાં, 16 વાર 5 વિકેટના ક્લબમાં અને 2 વાર 10 વિકેટના ક્લબમાં સામેલ થયા હતા.
આ કામ કરનારા દુનિયાના બીજા ક્રિકેટર
ચંદ્રશેખર ઇતિહાસમાં તે બે ટેસ્ટ ક્રિકેટરમાંથી એક છે જેમના કુલ રનથી વધારે વિકેટ છે. તેમણે 58 ટેસ્ટમાં 167 રન બનાવ્યા છે જ્યારે 242 વિકેટ લીધી છે. રન બનાવવા કરતા વધારે વિકેટ લેનારા પહેલા ક્રિકેટર ન્યુઝીલેન્ડના ક્રિસ માર્ટિન છે. માર્ટિને 233 વિકેટ લીધા અને 123 રન બનાવ્યા.