ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજે ટી-20 ઇન્ટરનેશનલથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 9 માર્ચે ગુવાહાટીમાં પોતાની છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.
36 વર્ષની મિતાલીએ 89 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં કુલ 2,364 રન બનાવ્યા છે. જે આ ફોર્મેટમાં કોઇ પણ ભારતીયનું સર્વશ્રેષ્ઠ ઓવરઑલ પ્રદર્શન છે. ટી-20 ઇન્ટરનેશનલથી નિવૃત્તીની જાહેરાત કરતાં મિતાલીએ કહ્યું કે હવે એ ઓડીઆઇ પર ફોકસ કરશે અને 2021 વર્લ્ડકપની તૈયારીમાં પોતાની ઊર્જા લગાવશે.
મિતાલીએ 32 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું. એમાં 2012, 2014 અને 2016 ના વર્લ્ડકપમાં પણ સામેલ છે. એ 2006માં ભારતની પહેલી ટી-20 કેપ્ટન બની હતી.
મિતાલીએ આ વર્ષે 9 માર્ચે ગુવાહાટીમાં પોતાની છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ઇંગ્લેન્ડની વિરુદ્ધ રમવામાં આવેલી એ મેચમાં એને 32 બોલમાં 30 રનોની નોટઆઉટ ઇનિંન્ગ રમી હતી.
ટી-20થી સંન્યાસ બાદ એ વનડે પર ધ્યાન કેન્દ્રીત કરશે. મિતાલીએ કહ્યું, '2006 થી ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યા બાદમાં ટી-20 ઇન્ટરનેશનલથી રિટાયર થવા ઇચ્છું છું કારણ કે હું 2021ની વન ડે વર્લ્ડ કપની તૈયારીમાં મારી શક્તિ લગાડી શકું.
મિતાલીએ કહ્યું, 'દેશ માટે વર્લ્ડકપ જીતવો મારું સપનું રહ્યું છે અને હું મારું સર્વશ્રેષ્ઠ આપવા ઇચ્છું છું, હું બીસીસીઆઇને એમના નિરંતર સમર્થન માટે ધન્યવાદ આપું છું અને ભારતીય ટી-20 મહિલા ટીમને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ હોમ સીરિઝ માટે શુભકામના પાઠવું છું.'