પૂર્વ ભારતીય ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું ચેન્નાઇમાં નિધન થઇ ગયું છે. તેમનો જન્મ 21 ઓગસ્ટ 1961માં ચેન્નાઇમાં થયો હતો. ચેન્નાઇમાં તેમને 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
પૂર્વ ભારતીય ક્રિકેટર ચંદ્રશેખરને હાર્ટ અટેકના કારણે ગુરુવારે ચેન્નાઇમાં નિધન થઇ ગયું છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે તમિલનાડુના પૂર્વ બેટ્સમેન ચંદ્રશેખરનો 6 દિવસ બાદ એટલે કે 21 ઓગસ્ટે 58મો જન્મદિવસ હતો, પરંતુ આ જન્મદિવસ પહેલા જ તેઓ આ દુનિયાને અલવિદા કહી દીધી.
ચંદ્રશેખર વર્ષ 1987 88માં બીજી વખત રણજી ટ્રોફી જીતનાર તમિલનાડુ ક્રિકેટ ટીમના સભ્ય હતા. એમને ત્યારે ઉત્તર પ્રદેશની સામે ક્વાર્ટર ફાઇનલમાં 160 રન અને રેલવેની વિરુદ્ધ ફાઇનલમાં 89 રનની ઇનિંન્ગ રમી હતી.
વીબી ચંદ્રશેખરે 1988 થી 1990ની વચ્ચે માત્ર સાત વનડે રમી હતી અને 88 રન બનાવ્યા હતા. એમના નામે વનડેમાં એક હાફ સેન્ચ્યુરી દાખલ છે, જે તેમને ઇન્દોરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બનાવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચંદ્રશેખરે 81 પ્રથમ શ્રેણી મેચોમાં 4999 રન બનાવ્યા. એમાંથી એમને નોટઆઉટ 237 રનનો વધારે સ્કોર બનાવ્યો. જ્યારે ગ્રેગ ચેપલ ભારતીય ટીમના કોચ હતા, ત્યારે ચંદ્રશેખર રાષ્ટ્રીય કોચ પણ રહ્યા હતા.
આ ઉપરાંત એ આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના ક્રિકેટ મેનેજર પણ હતા. ભારતે 1971માં અજીત વાડેકરની આગેવાનીમાં ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ સીરિઝ જીતી હતી.
આ પહેલા ગત વર્ષે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડકરનું નિધન થઇ ગયું હતું. એમને મુંબઇની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એમની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનમાં થાય છે.
એપ્રિલ 1941માં મુંબઇમાં જન્મેલા અજીત વાડેકરે 1966 થી 1974 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. એને પોતાની પ્રથમ શ્રેણી ક્રિકેટની શરૂઆત 1958 અને આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 1966માં કરી હતી.