બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / પૂર્વ ભારતીય ક્રિકેટર કેમ કર્યો આપઘાત? સામે આવ્યું આ મોટું કારણ

ક્રિકેટ / પૂર્વ ભારતીય ક્રિકેટર કેમ કર્યો આપઘાત? સામે આવ્યું આ મોટું કારણ

Last Updated: 04:14 PM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સનના આપઘાતનું કારણ સામે આવ્યું છે.

કર્ણાટકના બેંગ્લુરુમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડેવિડ જોન્સન ઘણા સમયથી ડિપ્રેશનથી પીડિત હતા અને આ જ કારણે તેણે અંતિમ પગલું ભર્યું હતું.

બેંગ્લુરુના એપાર્ટમેન્ટથી પડતું મૂક્યું

ક્રિકેટ જગતમાંથી ચોંકાવનારના સમાચાર આવ્યાં છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. તેમણે ચોથા માળેથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. તેમણે 1996માં ભારત માટે ડેબ્યૂ કર્યું અને તે જ વર્ષે બીજી ટેસ્ટ મેચ રમી. આ પછી તેને તક ન મળી.

ડેવિડ જોન્સનની ક્રિકેટ કારકીર્દી

ડેવિડ જોનસને ભારત માટે બે જ ટેસ્ટ રમી છે પરંતુ તેઓ કર્ણાટક માટે ઘણા લાંબા સમયથી રણજી ટ્રોફીમાં રમી રહ્યાં હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને અનિલ કુંબલે તથા જય શાહ સહિતના દિગ્ગજોએ ડેવિડ જોન્સનને શ્રદ્ધાંજલિ આપી હતી.

વધુ વાંચો : દિગ્ગજ ભારતીય ક્રિકેટરે આપઘાત કર્યો, ચોથે માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું

કોણ છે ડેવિડ જોન્સન

1971ની સાલમાં જન્મેલા ડેવિડ જોન્સન ટીમ ઈન્ડીયામાં ફાસ્ટ બોલર રહી ચૂક્યાં છે. તેઓ 1996ની સાલમાં બે ટેસ્ટ રમ્યાં હતા અને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. જોકે ત્યાર પછી તેઓ ઘરેલુ ક્રિકેટમાં રમતાં હતા. નિવૃતી બાદ તેઓ યુવા ક્રિકેટરોને તાલીમ આપી રહ્યાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

David Johnson suicide reason David Johnson Death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ