મુંબઈમાં પૂર્વ ક્રિકેટર અજીત વાડેકરનું નિધન થયું છે. 77 વર્ષીય અજીત વાડેકર કેન્સરની બિમારીથી પીડિત હતા. અને જસલોક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તે સમયે તેમનું નિધન થયું છે.
ભારતીય ક્રિકેટના સફળ કેપ્ટનમાં વા઼ડેકરની ગણના થાય છે. ત્યારે આ દુઃખદ સમાચાર મળતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને પૂર્વ ક્રિકેટર અજીત વાડેકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિદેશી ધરતી પર ટેસ્ટ સીરીઝમાં ભારતને પહેલી જીત અપાવનારા પૂર્વ ક્રિકેટ કેપ્ટન અજીત વાડેકરનું લાંબી માંદગી બાદ બુધવારે રાત્રે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા.
તેમના પરિવારમાં પત્ની રેખા ઉપરાંત બે દિકરા અને એક દીકરી છે. વાડેકરે દક્ષિણ મુંબઈના જસલોક હોસ્પીટલમં પોતાના અંતિમ શ્વાસ લીધા.