સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી શાળાઓને નિર્દેશ કર્યો અને કોરોનાને લઈને શિક્ષકોને બાળકોને તકેદારી રાખવા માટેના આદેશ કર્યા છે.તેવામાં ઋતુગત બીમારી ઓ એ પણ માથું ઉચક્યું છે જેથી તબીબોની ચિંતામાં હવે વધારો થયો છે.
બાળકો ચિકનગુનિયા ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે: IMAના પૂર્વ પ્રમુખ ડો મોના દેસાઈ
IMAના પૂર્વ પ્રમુખ ડો મોના દેસાઈ એ નાના બાળકો માટે vaccine ઝડપી લાવવા માટે સરકારને અપીલ કરી છે બીજી તરફ ઋતુગત બિમારીઓ પર નજર કરીએ તો નાના બાળકો ચિકનગુનિયા ડેન્ગ્યુ ના રોજ ના ખાનગી હોસ્પિટલોમાં 50 થી 60 કેસો નોંધાઈ રહ્યા છે તેવામાં કોરોના સંક્રમિત થવાનું પ્રમાણ વિદ્યાર્થીઓમાં પણ વધી શકે છે તે સમયે વાલીઓએ પણ પોતાના સંતાનની સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે સામાન્ય તાવ આવે તો પણ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક સાધવા માટે ડોક્ટર તબીબ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે એ મહત્વનું છે કે એક તરફ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે તેવામાં સરકારે પણ શિક્ષકોને સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે નિષ્ણાત તબીબોએ પણ વાલીઓને પણ જવાબદાર ઠેરવ્યા છે અને વાલીઓને સાવચેતી રાખવા માટે આપી છે જો બેદરકારી રાખવામાં આવશે તો સંભવિત કોરોના ની ત્રીજી લહેરને જરૂરથી આમંત્રણ મળશે.
શિક્ષણમંત્રીએ શાળાઓ બંધ કરવા પર નનૈયો ભણ્યો
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં શાળાઓ બંધ કરવા પર નનૈયો ભણ્યો છે. જીતુ વાઘાણીએ આડકતરી રીતે કહ્યું કે, કોરોના સામે હિંમતથી અને તકેદારીથી લડવાનું છે.જોકે કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગે પરિપત્રના માધ્યમથી શાળાને સૂચનો કર્યા છે. ધોરણ 1થી 12ની શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓને સૂચનો તેમજ નિર્દેશ કરાયા છે. જેમાં સ્ટાફ દ્વારા વેક્સિનના 2 ડોઝ સુનિશ્ચિત કરવા આવે તેવી સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં જો વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ વિદ્યાર્થી અંગે DEOને પણ જાણ કરવા આદેશ અપાયા છે સાથે શિક્ષકોને ઓફલાઈન સાથે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શાળાઓને બંધ ન કરવાના નિર્ણય સામે સવાલ ઉઠી રહ્યાં છે.વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ તેવા પણ સવાલ થઈ રહ્યા છ.ત્રીજી લહેરની સંભવિતતા વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ લેવું કેટલું યોગ્ય તેમ જાણકારો કરી રહ્યા છે.