કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ
શર્મા 2004માં હતા કચ્છના કલેક્ટર
ચુડવા ગામની જમીન સસ્તામાં વેચવાનો આરોપ
ભુજ CID ક્રાઈમ બ્રાન્ચે આજે અમદાવાદમાંથી પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી છે. કચ્છના ગાંધીધામના જમીન કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું.
ભગીરતસિંહ ઝાલાએ નોંધાવ્યો છે ગુનો
મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ આ અંગેનો CID ક્રાઇમ ભુજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જે મુજબ, પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા જ્યારે કચ્છના કલેક્ટર હતા, ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો.
વેલ્સપન કંપનીને પહોંચાડ્યો હતો ફાયદો
તેમણે વેલ્સપન કંપનીને નિયમનો ભંગ કરીને જમીન NA કરી આપી હતી. પ્રદીપ શર્માએ ગાંધીધામના ચુડવા ગામમાં કંપનીની જમીન NA કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલા પણ થઈ ચૂકી છે ધરપકડ
આ પહેલા પણ પ્રદીપ શર્માની ધરપકડ થઈ ચૂકી છે. ઘણા લાંબા સમય બાદ પ્રદીપ શર્માને જમાનત મળી હતી ત્યારે ફરી એકવાર જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતિ બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે આ જમીન કૌભાંડ કોના કહેવાથી આચર્યું હતું અને આ જમીનને લગતા અન્ય લોકો સાથે શું સાંઠ ગાંઠ હતી, તે તમામ મામલાની હવે તપાસ કરવામાં આવશે.
પ્રદીપ શર્મા સામે શું કેસ છે
- પ્રદીપ શર્માની કચ્છના જમીન કોંભાડના કેસમાં ધરપકડ થઇ
- 2004માં પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારનો કેસ છે
- કલેક્ટર હતા ત્યારે કચ્છની કંપની વેલ્સપનને ફાયદો પહોંચાડ્યો હતો
- શર્માના પત્ની શ્મયાલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગ પાસે વેલસ્પનનો કોન્ટ્રાક્ટ હતો
- વેલ્યુ પેકેજિંગ પાસે વેલસ્પન કંપનીનો પેકેજિંગનો કોન્ટ્રાક્ટ હતો
- પત્નીની કંપનીને ફાયદો પહોંચાડવા વેલસ્પનને જમીનમાં ફાયદો પહોંચાડ્યો હતો
- શર્માએ વેલસ્પન કંપનીની જમીન સસ્તા ભાવે એનએ કરી આપી હતી
- બદલામાં શર્મા અને તેમની પત્નીને હવાલા મારફતે નાણા મળ્યા હતા