જમ્મુ કાશ્મીરની કલમ 370 રદ કરવાના વિરોધમાં રાજીનામું આપનારા પૂર્વ IAS ઓફિસર કન્નન ગોપીનાથનની ફરી એક વાર અટકાયત કરવામાં આવી છે. શનિવારે તેમની ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજ એરપોર્ટથી અટકાયત કરવામાં આવી છે.
ફરી પૂર્વ IAS ગોપીનાથનની પોલીસે અટકાયત કરી
પ્રયાગરાજ એરપોર્ટ પરથી પૂર્વ IASની કરવામાં આવી હતી અટકાયત
પોલીસે તેમને લેવા આવેલી ગાડીઓ પણ જપ્તા કરી
તેમને નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ની વિરુદ્ધ થનારી બેઠકમાં ભાગ લેવા બોલાવવામાં આવ્યાં હતાં. સીએએ અને એનઆરસીની વિરુદ્ધ બૈઠક યોજનારા લોકોનું કહેવું છે કે જિલ્લા પ્રશાસનને કન્નન ગોપીનાથનને બેઠકમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.
CAAનાં વિરોધમાં યોજાયેલ બેઠકમાં આવ્યાં હતા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોપીનાથ નાગરિકતા સંશોધન એક્ટનાં વિરોધમાં થઈ રહેલા કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. ત્યારે એરપોર્ટ પર તેમને લેવા આવેલી ગાડીઓને પણ પોલીસે જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે પટેલ સંસ્થાન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ઈન્ડિયા પીપલ્સ ફોરમે પ્રયાગરાજમાં CAAને લઈને કાર્યક્રમનું આયોજન કર્યું હતું.