હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તન્વરે નારાજ થઇને પાર્ટીથી રાજીનામુ આપ્યું છે. એમણે વિધાનસભા ચૂંટણીને લઇને આપવામાં આવતી ટિકિટોમાં ખરીદી-વેચાણનો આરોપ લગાવ્યો છે. અશોક તન્વરની ઘણા દિવસોથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે ખેંચતાણ ચાલી રહી હતી.
હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તન્વરનું રાજીનામુ
અશોક તન્વરે પાર્ટી પર ટિકિટની વહેંચણીમાં ખરીદી-વેચાણનો આરોપ લગાવ્યો
અશોક તન્વરે કહ્યું - પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે
હાલમાં અશોક તન્વરથી પ્રદેશની કમાન લઇને શૈલજાને આપવામાં આવી છે. હરિયાણામાં ચૂંટણી દરમિયાન અશોક તન્વરનું રાજીનામુ કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. તન્વરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામા પત્રમાં આરોપ લગાવ્યો છે કે પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કેટલાક દિવસો પહેલા જ એમણે રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે બનેલી વિભિન્ન સમિતિઓથી રાજીનામુ આપ્યું હતું.
અશોક તન્વરે કહ્યું કે તેમની સામે પાર્ટી છોડવા સિવાય કોઇ રસ્તો બચ્યો નહોતો અને તે હાલમાં ભાજપ અથવા અન્ય કોઇ પાર્ટીમાં સામેલ થવા જઇ રહ્યા નથી. એમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીના નજીકના લોકોની 'રાજકીય હત્યા' કરવામાં આવી રહી છે.
After long deliberations with party workers and for reasons well known to all Congressman and public, I hereby resign from the primary membership of the @INCIndiapic.twitter.com/qG9dYcV6u2
આ પહેલા તન્વરે હુડ્ડા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, 'દેશમાં લોકતંત્ર છે, પરંતુ હરિયાણામાં મોટા રાજઘરાના છે. કેટલાક અમારી પાર્ટીમાં છે તો કેટલાક લોકો બીજી પાર્ટીમાં છે. મારા વિરુદ્ધ અસહયોગ આંદોલન ચલાવાયુ, પરંતુ લોકસભા ચૂંટણીમાં 6 ટકા વોટ વધ્યા.'
એમણે દાવો કર્યો કે હરિયાણા કોંગ્રેસ દ્વારા હવે 'હુડ્ડા કોંગ્રેસ' બનતી જઇ રહી છે. તન્વરે ટિકિટ વિતરણમાં મહેનત કરતા કાર્યકર્તાઓના અનાદરનો આરોપ લગાવતા કહ્યું કે એ બતાવવામાં આવે કે કયા માપદંડોના આધારે ટિકિટ આપવામાં આવે છે.