હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને મોટો ઝટકો લાગ્યો છે. ઓમ પ્રકાશ ચૌટાલાને આવક કરતા વધારે સંપત્તિ કેસમાં દોષી ઠેરવાયા છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીને મોટો ઝટકો
આવક કરતા વધારે સંપત્તિ કેસમાં દોષી જાહેર
26મીએ કોર્ટ સંભળાવશે સજા
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આવક કરતા વધારે સંપત્તિ કેસમાં હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને દોષી ઠેરવ્યાં છે. દોષી ઠેરવ્યા બાદ કોર્ટે હવે 26મી મેના રોજ તેમને સજાની જાહેરાત કરશે. આ પહેલા 19 મેના રોજ રાઉજ એવન્યુ કોર્ટે આવકથી વધુ સંપત્તિના મામલામાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં સીબીઆઇએ 26 માર્ચ, 2010ના રોજ ચૌટાલા સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને 1993થી 2006 ની વચ્ચે તેમની કાયદેસરની આવક કરતા 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરવા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા.
26મીએ સજા સંભળાવશે કોર્ટ
આવક કરતા વધારે સંપત્તિ કેસમાં દોષી ઠેરવ્યા બાદ દિલ્હી કોર્ટે હવે 26મીએ ચૌટાલાને સજા સંભળાવશે.
Rouse Avenue Court of Delhi convicts former Haryana CM Om Prakash Chautala in the disproportionate assets case. Court to hear arguments on the quantum of punishment on May 26th. pic.twitter.com/9cU3qnwrvs
2019માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની 3.68 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. આ સંપત્તિઓમાં ઓમપ્રકાશ ચૌટાલાનો ફ્લેટ, પ્લોટ અને જમીન સામેલ છે. જપ્ત કરાયેલી સંપત્તિ નવી દિલ્હી, પંચકુલા અને સિરસામાં આવેલી છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં મની લોન્ડરિંગ હેઠળ નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને જાન્યુઆરી 2013 માં જેબીટી કૌભાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કાવતરામાં ભ્રષ્ટાચાર નિવારણમાં દોષિત ઠરવા બદલ ઈન્લ્ડ સુપ્રીમોને સાત વર્ષની જેલની સજા અને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
2000ની સાલમાં ચૌટાલાને 10 વર્ષની સજા થઈ હતી
ઉલ્લેખનીય છે કે હરિયાણાના ચર્ચિત જેબીટી કૌભાંડમાં ઓમ પ્રકાશ ચૌટાલા, તેમના પુત્ર અજય ચૌટાલા અને બીજા આરોપીઓને 2000માં ત્રણ હજારથી વધારે જુનિયર બેસિક શિક્ષકોની ગેરકાનૂની ભરતી કરવાના કેસમાં સજા કરાઈ હતી. આ કેસમા ચૌટાલાને 10 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જોકે આ કેસમાં તેમની સજા પૂરી થઈ હતી જે પછી 2010 ની 2 જુલાઈએ તેમને દિલ્હીની તિહાડ જેલમાંથી છોડી મૂકાયા હતા.
મારી સામેના આરોપ રાજનીતિથી પ્રેરિત- ચૌટાલા
ઉલ્લેખનીય છે ચૌટાલા પરિવાર તેમની સામેના આરોપને રદિયો આપ્યો છે અને તેમની સામેના આરોપ રાજનીતિથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. કોર્ટના તાજેતરના ચુકાદાથી હરિયાણાના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. હવે બધાની નજર કોર્ટના નિર્ણય પર ટકેલી છે. કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે રાજ્યમાં ફરી એકવાર રાજકારણમાં હલચલ મચી જશે.
કેસની ટાઈમલાઈન
સીબીઆઇએ 26 માર્ચ, 2010ના રોજ ચૌટાલા સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
1993થી 2006 વચ્ચે 6.09 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરવાનો આરોપ લાગ્યો હતો જે તેમની આવકથી વધુ આવક હતી.