2022ની ચૂંટણી પહેલા ભાજપ એક બાદ એક નેતાઓ વાપસી કરી રહ્યા છે.ત્યારે પૂર્વ MLA પ્રાગજી પટેલ બાદ હવે ભાજપના પુર્વ ધારાસભ્ય કમા રાઠોડે આજે ઘર વાપસી કરી છે..
પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડની ભાજપમાં ઘરવાપસી
ઝુંડાલ સર્કલથી કમલમ સુધી શક્તિ પ્રદર્શન
કોઇ કમિટમેન્ટ નથી બસ ભાજપમાં પરત આવી રહ્યો છું-કમા રાઠોડ
LIVE: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં સાણંદના પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત... https://t.co/8jOFRKaMUN
2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે..ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું છે.કેમકે થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ MLA પ્રાગજીભાઈ પટેલ પણ જોડાયા હતા.કમલમ ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પુન: પ્રવેશ્યા અને કેસરિયો ધારણ કર્યો. ત્યારે પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ સાથે ભીખાભાઈ પટેલ તેમજ સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે.
ભાજપમાં ઘરવાપસી કરી રહેલા પૂર્વ MLA કમા રાઠોડનું નિવેદન
ભાજપમાં પ્રવેશ બાદ તમામ નારાજગી દૂર થવાની વાત કરતા કમાં રાઠોડે જણાવ્યું હતું કે, આજથી ભાજપમાં પ્રવેશ્યા બાદ હવે પક્ષ માટે કામગિરી કરવાનું નીર્ધાર કરી લીધો છે.કોઈ પણ લાલંચ કે કમિટમેન વિના પાછો ફર્યો છું, કેમકે મારું મૂળ ગોત્ર ભાજપ છે,ભાજપમાં જીવિશ ત્યાં સુધી રહીશ વાત કરી. તેઓ જણાવ્યું કે, પક્ષ વધુ મજબૂત બને તે આશા સાથે જોડાઈ રહ્યો છું. કોઈ સ્થળે ચૂંટણી લડવા માટેનું કમિટમેન્ટ થયું નથી. આ વખતે 182 બેઠકોના લક્ષ્યાંકના સહયોગ માટે જોડાઈ રહ્યો છું.
ગત વિધાનસભામાં સાણંદથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, કમા રાઠોડ અગાઉ ભાજપના અમદાવાદ જિલ્લા પ્રમુખ પદે હતા.પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય કરમશીભાઈ મકવાણાના પુત્ર કનુ મકવાણાને ટિકિટ આપી હતી. જેથી નારાજ થયેલા કમાભાઈ રાઠોડે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ હતું અને સાણંદથી અપક્ષ ઉમેદવારી નોંધાવી અનેંઅપક્ષમાંથી ચૂંટણી હાર્યા હતા. જો કે 2022ની ચૂંટણી સમયે કમા પટેલનું ભાજપમાં કમબેક કરી રહ્યા છે.આજે કમબેક સમયે શક્તિપ્રદર્શન પણ જોવા મળ્યું છે.