INX મીડિયા મામલે આરોપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમને પોતાનો 74મો જન્મદિવસ તિહાડ જેલમાં જ મનાવવો પડશે. દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇને આદેશ આપ્યો છે કે એક અઠવાડિયાની અંદર INX મીડિયા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના નેતાની જામી અરજી પર પોતાના સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે.
હાઇકોર્ટમાં 23 સપ્ટેમ્બર ચિદંબમરની જામીન અરજી પર સુનાવણી
16 સપ્ટેમ્બરે 74 વર્ષના થઇ રહ્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમ
કોર્ટે તેમને જેલમાં ઘરનું જમવાનું ઉપલબ્ધ કરવવાની પણ મનાઇ કરી
ચિદંબરમ 16 સપ્ટેમ્બરે 74 વર્ષના થઇ રહ્યા છે અને હાઇકોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણી માટે 23 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. ત્યારે, કોર્ટે તેમને જેલમાં ઘરનું જમવાનું ઉપલબ્ધ કરવવાની પણ મનાઇ કરી દીધી છે. ત્યારે બીજી તરફથી EDએ દિલ્હીની એક કોર્ટમાં જણાવ્યું કે તેઓ હાલ ચિદંબરમની ધરપકડ નથી કરવા માંગતી. ઇડીએ ચિદંબરમની સરેન્ડર અરજીનો વિરોધ કરતા કહ્યું કે તેઓ હાલ જેલમાં છે, એટલા માટે સાક્ષી કે પુરાવાને અસર નહીં કરી શકે. ઇડીએ કહ્યું કે તે આ મામલે 6 અન્ય લોકો સાથે પૂછપરછ કરવા માંગે છે, એટલા માટે આનો વિરોધ કરતા કહ્યું કે આની પાછળ ઇડીની નીતિ તેમના અસીલને હેરાન કરવાની છે.
જણાવી દઇએ કે કોંગ્રેસ નેતા જોકે 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. ચિદંબરમને 19 સપ્ટેમ્બરને નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોંગ્રેસની આગેવાની વાળી યૂપીએ સરકારમાં 2004થી 2014 સુધી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ચિદંબરમની કેન્દ્રીય તપાસ એજન્સીએ 21 ઓગષ્ટે પોતાને ઘરેથી ધરપકડ કરી હતી. નાણા મંત્રીના રૂપમાં ચિદંબરમના કાર્યકાળમાં 2007માં 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન પ્રાપ્ત કરવા માટે આઇએનએક્સ મીડિયા સમૂહને વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરી આપવામાં અનિયમિતતાનો આરોપ લગાવતા કેન્દ્રીય તપાસ બ્યૂરોને 15 મે 2007એ તેમના વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. ત્યારબાદ 2017માં મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
ચિદંબરમના સરેન્ડર પર આજે ફેંસલો
પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમની અરજી પર ગુરૂવારનો પોતાનો આદેશ એક દિવસ માટે સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટ આના પર આજે શુક્રવારે નિર્ણય લેશે. ચિદંબરમ કસ્ટડીમાં છે જ્યાં તેમની તપાસ સીબીઆઇ કરી રહી છે. બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શુક્રવારે પોતાના આદેશને સુરક્ષિત રાખ્યો છે.