દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે આઇએનએક્સ મીડિયા મામલે કોંગ્રેસના કદ્દાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદંબરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલી દેવાયા છે. તિહાડ જેલમાં ચિદંબરમની એન્ટ્રી ગેટ નંબર ચારથી થઇ. જેલમાં બંધ કરતા પહેલા ચિદંબરમનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું અને બાદમાં ડિનરમાં રોટલી, દાળ અને ભાત આપવામાં આવ્યા.
આ પહેલા ગુરૂવારે રાઉજ એવેન્યૂ કોર્ટથી પી ચિદંબરમના વકીલ કપિલ સિબ્બલે અપીલ કરી હતી કે ચિદંબરમને તિહાડ જેલમાં વેસ્ટર્ન ટૉયલેટ, ચશ્મા, દવાઓ, સુરક્ષા અને અલગ બેરેક સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવવા મંજૂરી આપવામાં આવે. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે કપિલ સિબ્બલમી અપીલને સ્વીકારી લેવમાં આવી અને વેસ્ટર્ન ટૉયલેટ સહિત તમામ સુવિધાઓ જેલમાં આપવાની મંજૂરી આપી દેવાઇ છે.
કોર્ટમાં આવેદન દાખલ કરતા કપિલ સિબ્બલે દલીલ કરી કે પી ચિદંબરમ ઇંડિયન ટૉયલેટમાં બેસી નથી શકતા, જેને લઇને તિહાડ જેલમાં વેસ્ટર્ન ટૉયલેટ ઉપલબ્ધ કરાવવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, ચિદંબરમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળી છે. જોકે તેમને જેલમાં પણ સુરક્ષા આપવામાં આવે.
ત્યારે, તિહાડ જેલના ડાયરેક્ટર જનરલ સંદીપ ગોયલે જણાવ્યું કે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદંબરમને જેલ નંબર 7 અને અલગ બેરેકમાં રાખવામાં આવ્યા. તેમને જમવામાં રોટલી, દાળ, ભાત અને શાક આપવામાં આવશે. સાથે જરૂરી દવાઓ, ચશ્મા, સુરક્ષા, વેસ્ટર્ન ટૉયલેટ, ટીવી અને પુસ્તકો સહિત તેમને તે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે જેની કોર્ટે મંજૂરી આપી છે.
મહત્વનું છે કે, આઇએનએક્સ મીડિયા મામલે સીબીઆઇએ પી ચિદંબરમને 22 ઓગસ્ટે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેમને 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઇ કસ્ટડીમાં રાખવામાં આવ્યા અને હવે તેમને તિહાડ જેલમાં મોકલી દેવાયા છે. તેઓ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં રહેશે.
સવારે બ્રેકફાસ્ટમાં મળશે દાળિયા અને બિસ્કુટ
પૂર્વ કેન્દ્રય ગૃહમંત્રી પી ચિદંબરમને જેલમાં વિશેષ સુરક્ષા પણ આપવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચિદંબરમ સાથે તિહાડ જેલમાં અંડરટ્રાયલ કેદીઓ જેવું વર્તન કરવામાં આવશે. તેમને અલગથી કોઇ વિશેષ સુવિધા નહીં આપવામાં આવે. જોકે તેમને કોર્ટે આદેશ અને જેલ મેનુઅલ અનુસાર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જેલ મેનુઅલ અનુસાર, ચિદંબરમને રાત્રે નવ વાગ્યે બેરેકમાં બંધ કરી દેવામાં આવશે અને સવારે 6થી 7 વાગ્યે ઉઠાડવામાં આવશે. ડેલી રૂટીનથી પૂર્ણ કર્યા બાદ ચિદંબરમને નાસ્તામાં દાળિયા, બ્રેડ, ચા અને બિસ્કુટ આપવામાં આવશે. નાસ્તા બાદ ચિદંબરમને ચાલવું પડશે અને વ્યાયામ કરવો પડશે. ત્યારબાદ જમવામાં રોટલી, દાળ, ભાત અને શાક આપવામાં આવશે.