આજે CBIએ ભ્રષ્ટાચાર મામલામાં એક ભૂતપૂર્વ નાણાં સચિવ અરવિંદ માયારામનાં 2 આવાસો પર દરોડા પાડ્યાં હતાં.
CBIએ આજે પાડ્યાં દરોડા
ભૂતપૂર્વ નાણાં સચિવ અરવિંદ માયારામનાં 2 આવાસ પર દરોડા
દિલ્હી અને જયપુરનાં ઘરોમાં CBIએ તપાસ હાથ ધરી
સીબીઆઈએ ભ્રષ્ટાચારનાં મામલામાં એક ભૂતપૂર્વ નાણાં સચિવ અરવિંદ માયારામનાં દિલ્હી અને જયપુર સ્થિત આવાસોની આજે તપાસ કરી છે. તપાસમાં કહેવામાં આવ્યું છે કે તે કરન્સી છૂપાવવા માટે આપવામાં આવેલા ટેન્ડરની અનિયમિતતામાં શામેલ છે. કલાકો સુધી એજન્સીએ તપાસ કરી હતી.
CBI searches the premises of former Finance Secretary Arvind Mayaram in Delhi & Jaipur, in an alleged corruption case.
The investigation states that he was involved in irregularities in the tender awarded for currency printing. pic.twitter.com/PQ5rj4LfAQ
રિપોર્ટ અનુસાર છેલ્લા 6 કલાકથી તેમના ઘરોમાં તપાસ ચાલી રહી છે. સીબીઆઈનાં એક સૂત્ર માહિતી આપી કે અત્યારસુધી આ રેડમાં કેટલાક આપત્તિજનક દસ્તાવેજો મળી આવ્યાં છે. પરંતુ ઓફિશિયલી CBIનું આ વિષયક કોઈ અપડેટ આવેલ નથી અને અત્યાર સુધીમાં કઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં આવી નથી.
RBIનાં પણ કેટલાક અધિકારીઓની તપાસ
માયારામની સાથે સાથે નાણામંત્રાલય અને RBIનાં પણ કેટલાક અધિકારીઓની તપાસ કરવામાં આવી રહી છે. અરવિંદ માયારામે 2012-14 દરમિયાન ભારતનાં નાણાં સચિવનાં રૂપે પોતાની ફરજ બજાવી હતી. કોંગ્રેસનાં નેતૃત્વ વાળી UPA સરકારમાં નાણામંત્રીનાં રૂપે પી. ચિદંબરમનાં કાર્યકાળ દરમિયાન માયારામને ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં સ્થાનાંતરિત કરી દેવાયા હતાં.