પૂર્વ નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અરુણ જેટલી લાંબા સમયથી બીમાર હતા. આજે બપોરે 12.07 વાગ્યે તેમનું નિધન થયું. અરુણ જેટલી એક દિગ્ગજ નેતા અને કુશળ રણનીતિકાર રૂપે હંમેશા યાદ કરવામાં આવશે.
પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીએ ભારતીય રાજનીતિમાં ઘણી જવાબદારીઓ નિભાવી હતી. અરુણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. એમના પિતાનું નામ મહારાજ કિશન જેટલી હતું. જે એક વકીલ હતા. અને માતાનું નામ રતન પ્રભા જેટલી હતું.
અરુણ જેટલીનું સ્કુલનું શિક્ષણ દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં થયું હતું. ત્યારબાદ દિલ્હી યૂનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સથી પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી અને દિલ્હી યૂનિવર્સિટીમાંથી લૉમાં ડિગ્રી મેળવી હતી.
અરુણ જેટલીની પત્નીનું નામ સંગીતા છે. એમના લગ્ન વર્ષ 1982માં થયા. બંનેના બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ રોહન છે અને પુત્રીનું નામ સોનાલી.
અરુણ જેટલીની પુત્રી અને પુત્ર બંને પોતાના પિતાની જેમ વકીલ છે. આ એમની ત્રીજી પેઢી છે જેમણે વકાલતમાં જ કરિયર બનાવ્યું છે.
પુત્રીના લગ્ન બન્યા હતા ચર્ચાનું કેન્દ્ર
અરુણ જેટલીની પુત્રી સોનાલી 2015માં પોતાના લગ્નને લઇને ચર્ચામાં આવી હતી. એમના લગ્ન બિઝનેસમેન અને લૉયર જયેશ બખ્શી સાથે થયા હતા. લગ્નમાં શાહરુખ ખાન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા જાણીતા સ્ટાર સામેલ થયા હતા.
પુત્ર રોહન પણ પિતાની જેમ વકીલ
અરુણ જેટલીના પુત્ર રોહન પણ પિતાની જેમ વકીલ છે. શરૂઆતનો અભ્યાસ એમણે દિલ્હીની પબ્લિક સ્કૂલ આરકે પુરમથી કરી છે. જે બાદ અમિટી લૉ સ્કૂલથી લૉમાં ગ્રેજ્યુએશનમાં ડિગ્રી લીધી. ન્યૂયોર્કની કાર્નેલ યૂનિવર્સિટીથી લૉમાં માસ્ટરની ડિગ્રી લીધી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે વર્ષ 2014માં ભારત પાછા ફર્યા. એ બાદ એમણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મેમ્બરશિપ લીધી. વર્ષ 2014માં એમણે વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.