પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત વધુ નાજુક બની છે. એમ્સ ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટરથી હટાવી ઇસીએમઓ (Extracorporeal membrane Oxygenation) પર શિફ્ટ કર્યા છે. ઇસીએમઓનો પ્રયોગ ફેફસાના કામ ન કરવાની સ્થિતિમાં બ્લડ સર્કુલેશનને પંપ કરવા માટે કરવામાં આવે છે.
તેની મદદથી શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત જેટલીના હાલ જાણવા પહોંચ્યા હતા.
ગત કેટલાક દિવસોથી અરુણ જેટલીને એમ્સમાં જીવન રક્ષક પ્રણાલી પર રાખવામાં આવ્યા છે. આ જાણકારી સૂત્રોના હવાલાથી આપવામાં આવી છે. જેટલીનો હાલ જાણવા માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સહિત ઘણા નેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર જેટલી (66)ને જીવન રક્ષક પ્રણાલી પર રાખવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે. અરુણ જેટલીને 9 ઓગસ્ટના દિવસે ભરતી કરવામાં આવ્યા હતા.
એમ્સે અરુણ જેટલીના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, ભાજપના સતીશ ઉપાધ્યાય, અને કોંગ્રેસ નેતા અભિષેક સિંધવી અને જોતિરાદિત્ય સિંધિયા અને એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ જેટલીના હાલ જાણવા એમ્સ પહોંચ્યા છે.
બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પણ જેટલીના સ્વાસ્થ્ય વિસે જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. શ્વાસ લેવામાં મુશ્કેલી પડ્યા બાદ અરુણ જેટલીને દાખલ કરાયા હતા. અરુણ જેટલી આ વર્ષ મે માસમાં ઇલાજ માટે એમ્સમાં દાખલ થયા હતા.