વધુ એક ભરતી કૌભાંડ સામે આવતાંની સાથે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સરકારે મમતા વર્માની અધ્યક્ષતામાં એક કમિટી બનાવીને તપાસના આદેશ આપ્યાં છે.
ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આક્ષેપનો મામલો
મમતા વર્માની અધ્યક્ષતામાં બની કમિટી
રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ
રાજ્ય સરકારે આપ્યા સઘન તપાસના આદેશ
ગુજરાતમાં વધુ એક ભરતીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. PGVCL, UGVCL, DGVCL દ્વારા લેવાયેલી ઓનલાઈન પરીક્ષા અંગે આપના નેતા યુવરાજસિંહે ગંભીર આક્ષેપો લગાવ્યાં છે. જે સંદર્ભે રાજ્ય સરાકારે તાત્કાલિક અસર એક મોટો નિર્ણય લીધો છે.અને ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના મામલે મમતા વર્માની અધ્યક્ષતામાં કમિટી બનાવી તપાસના આદેશ આપ્યાં છે.
ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ મામલે પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલનું મૌન
ઉલ્લેખનીય છે કે, રાજ્યના ઉર્જા વિભાગની ભરતીમાં મૌટું કૌભાંડના આરોપ સાથે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે આ અંગે રાજ્યના પૂર્વ મંત્રી સૌરભ પટેલને પૂછવામાં આવતાં કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તેમણે ભરતીમાં કૌભાંડ અંગેના સવાલો પર મૌન સેવ્યું હતું. મહત્વનું છે કે, આ ભરતી કૌભાંડ ત્યારે થયું હતું જ્યારે સૌરભ પટેલ ઉર્જા મંત્રી હતાં.
મહત્વનું છે કે, આજે સવારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફ્રન્સ કરીને ભરતીની પરીક્ષામાં કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેમને સરકારી ખાતાઓમાં નોકરી અપાવવામાં આવે છે, તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી ઉર્જા વિભાગમાં ભરતીઓમાં કૌભાંડ થઈ રહ્યું છે