દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજનેતા શીલા દીક્ષિતનું 81 વર્ષની જૈફવયે નિધન થયું છે. શીલા દીક્ષિત છેલ્લા થોડા સમયથી માંદગી ભોગવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શીલા દીક્ષિત દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હતા. તેમનું હ્રદય રોગના હુમલાનો કારણે દેહાવસાન થયું હતું.
બપોરે 3 વાગેને 15 મિનિટે હદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયુ. તેમના પાર્થિવ દેહને રવિવારે અંતિમસંસ્કાર અપાશે. તેમના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર તેમના નિવાસસ્થાને કરી શકાશે. શીલા દિક્ષીતના નિધન બાદ દિલ્હી સરકારે 2 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
તો PM નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને પૂર્વ PM મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. શીલા દિક્ષીત 15 વર્ષ સુધી દિલ્હીના CM રહ્યાં હતા. તેઓ 35 વર્ષથી રાજનીતિમાં સક્રિય હતા. કેજરીવાલ શીલા દિક્ષીતને હરાવીને દિલ્હીના CM બન્યા હતા. અને જાન્યુઆરીથી તેઓને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા.
Former Delhi Chief Minister & Congress leader Sheila Dikshit, passes away in Delhi at the age of 81 years. (file pic) pic.twitter.com/8rqv8qfnAQ
શીલા દીક્ષિત 1998થી 2013 સુધી સતત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ગાંધી પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવતા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં શીલા દીક્ષિતનું નામ સામેલ છે. 81 વર્ષની ઉંમરે પણ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પાર્ટીના સેવા કરી રહ્યા હતા.
કોંગ્રેસના કદાવર નેતા રહ ચૂકેલા શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ પંજાબના કપૂરથલામાં થયો હતો. તેમણે દિલ્હીના કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ દિલ્હી યુનિવર્સિટીના મિરાંડા હાઉસથી માસ્ટર્સ ઓફ આર્ટની ડીગ્રી પ્રાપ્ત કરી છે. નોંધનીય છે કે, શીલા દીક્ષિત 1984 થી 1989 કનોજ મધ્યપ્રદેશના સાંસદ તરીકે રહ્યા હતા.
1998ની લોકસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતે ભારતીય જનતા પાર્ટીના લાલ બિહારી તિવારીને પૂર્વ દિલ્હી ક્ષેત્રમાં માત આપી હતી અને ત્યારબાદ તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી આરૂઢ થયાં હતા. દીક્ષિતના દેહાવસાનને પગલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. દીક્ષિતના નિધનને પગલે પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી સહિતના તમામ નેતોઓએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Prime Minister Narendra Modi tweets, "Deeply saddened by the demise of Sheila Dikshit Ji. Blessed with a warm and affable personality, she made a noteworthy contribution to Delhi’s development. Condolences to her family and supporters. Om Shanti." pic.twitter.com/1m3aoXYqvj