દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા બાદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભૂલ થવી એ પ્રકૃતિ છે, તેમાં સુધારો કરવો એ પ્રગતિ છે.
ભૂલ થવી પ્રકૃતિ છે, તેમાં સુધાર લાવવો તે પ્રગતિ છેઃભટોળ
ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ થયો છેઃ ભટોળ
ક્ષતિ સુધારીને આજે દૂર કરીને ભાજપમાં પ્રવેશી રહ્યો છું- ભટોળ
રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે કેસરિયો ખેસ ધારણ કરીને પુનઃ ઘરવાપસી કરી હતી. વસંત ભટોળ ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભૂલ થવી એ પ્રકૃતિ છે, તેમાં સુધારો કરવો એ પ્રગતિ છે. ભાજપ મારી માતૃસંસ્થા છે, માતાથી બાળક છૂટુ પડે એટલું દુ:ખ થયું છે. અટેલ ફરી પાછો મારી માતૃસંસ્થામાં જોડાઉં છું.
માતાથી બાળક છૂટુ પડે એટલું દુ:ખ થયું છે. અટેલ ફરી પાછો જોડાઉં છું.- વસંત ભટોળ
પૂર્વધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ભૂલ થવી એ પ્રકૃતિ છે, તેમાં સુધારો કરવો એ પ્રગતિ છે. ભાજપ મારી માતૃસંસ્થા છે, માતાથી બાળક છૂટુ પડે એટલું દુ:ખ થયું છે. અટેલ ફરી પાછો મારી માતૃસંસ્થામાં જોડાઉં છું.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાનો આ સીલસીલો સતત ચાલી રહ્યો છે
આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજનારા છે. ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ પલટો કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ખાસ કરીને પક્ષ પલટામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કાર્યકરો BJPમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી મોટી વિકેટ પડી છે ત્યારે ભાજપમાં જોડાવવાનો આ સીલસીલો સતત ચાલી રહ્યો છે. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય તાજેતરમાં જ ભાજપમાં વિધીવત રીતે જોડાયા છે. આજે દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ પણ બીજેપીમાં જોડાયા છે.
ગાંધીનગર કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કર્યો
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, વસંત ભટોળ બનાસકાંઠાથી 50 જેટલી બસોમાં સમર્થકો સાથે બનાસકાંઠાથી ગાંધીનગર સ્થિત કમલની ઓફિસે પહોંચ્યા હતાં. મહત્વનું છે કે, વસંત ભટોળ 2007માં દાંતા બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાયા હતાં. ત્યારબાદ વર્ષ 2012માં ટિકિટ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતાં.