પંજાબમાં મળેલી જીતથી ઉત્સાહિત થયેલી આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં પણ સંગઠન વિસ્તાર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું મન બનાવી ચુકી છે.
આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે કપિલ દેવ
વિધાનસભા ચૂંટણીઓની શરૂ કરી તૈયારીઓ
કેજરીવાલ અને કપિલ દેવ વચ્ચે થઈ મુલાકાત
પંજાબમાં મળેલી જીતથી ઉત્સાહિત થયેલી આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં પણ સંગઠન વિસ્તાર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું મન બનાવી ચુકી છે. તેના માટે પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી અને પંજાબની વચ્ચે આવેલા હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણી 2024 થવાની છે. ચૂંટણી પહેલા અહીં જનાધાર વધારવા માટે 29 મેના રોજ કુરુક્ષેત્રમાં આમ આદમી પાર્ટી એક રેલી કરવા જઈ રહી છે. આ રેલીમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ આપ પાર્ટીમાં સામેલ થવાની ચર્ચા છે.
કુરુક્ષેત્રમાં કેજરીવાલ અને કપિલ દેવની થઈ મુલાકાત
હકીકતમાં કુરુક્ષેત્રની રેલીથી પહેલા કપિલ દેવ અને અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ છે. આ મુલાકાતની તસ્વીર પણ વાયરલ થઈ ચુકી છે. હાલમાં સત્તાવાર રીતે કોઈ કંઈ કહેવા તૈયાર નથી, પણ રાજકીય જાણકારોનું માનીએ તો, કપિલ દેવ આપ પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે. જો આવું થશે તો, હરિયાણા ચૂંટણી પહેલા રાજ્યમાં આપને એક મોટો ચહેરો મળી જશે.
29 મેના રોજ હરિયાણામાં આપની મોટી રેલી
અહીં ઉલ્લેખનીય છે કે, કુરુક્ષેત્રમાં 29મેના રોજ થનારી આમ આદમી પાર્ટીની રેલીમાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચશે. રમત અને ખેલાડીઓ માટે હરિયાણાની ગણતરી દેશના નંબર વન રાજ્યોમાં થાય છે. અહીંથી કેટલાય મોટા ખેલાડીઓ નિકળ્યા છે. જેને ફક્ત રાજ્યમાં જ નહીં પણ વિશ્વ આખામાં લોકો પસંદ કરે છે. ત્યારે આવા સમયે કપિલ દેવને સાથે રાખીને આપ પાર્ટી મોટો દાવ ખેલવા જઈ રહી છે.
અહીંથી વિધાનસભાની સીટ આપી શકે છે
આપને જણાવી દઈએ કે, અરવિંદ કેજરીવાલ પણ ખુદ હરિયાણાના સિવાની મંડીના છે. આ અગાઉ હાલમાં જ પાર્ટીએ સ્ટાર ભારતીય સ્પિનર હરભજન સિંહને પંજાબમાંથી રાજ્યસભામાં મોકલ્યા છે. હવે કપિલ દેવ દ્વારા હરિયાણામાં પોતાની રાજકીય જમીન મજબૂત કરવાની કોશિશમાં લાગેલી છે. કપિલ દેવ ચંડીગઢના રહેવાસી છે. તેમણે ચંડીગઢની ડીએવી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એક એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, 2024ની વિધાનસભા ચૂંટણીમાં કપિલ દેવને પંચકૂલામાંથી વિધાનસભાની સીટ આપી શકે છે.