પંજાબ ચૂંટણી પહેલા ભાજપ પંજાબમાં પોતાનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત મંગળવારે ભાજપે પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાને પાર્ટીમાં સામેલ કર્યા છે.
દિનેશ મોંગિયા ડેરા બસ્સી વિધાનસભાથી ભાજપના ઉમેદવાર બની શકે છે
દિનેશ મોંગિયાએ સપ્ટેમ્બર 2019માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી
BJPની સદસ્યતા સ્વીકાર્યા બાદ પૂર્વ દિનેશ મોંગિયાએ કહ્યું કે, ચૂંટણીમાં ખેડૂતો અમારી પડખે રહેશે
પંજાબ વિધાનસભાની ચૂંટણી નવા વર્ષની શરૂઆતમાં જ પ્રસ્તાવિત છે.
આ પહેલા રાજકીય પક્ષો પોતાનો આધાર મજબૂત કરવામાં વ્યસ્ત છે. તો સાથે સાથે અનેક મોટા રાજકીય પક્ષોની સદસ્યતા લઈને તેઓ પોતાના રાજકીય નસીબનું આયોજન કરી રહ્યા છે. આ કડીમાં મંગળવારે પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને રાજ્યસભા સાંસદ દુષ્યંત ગૌતમે દિનેશ મોંગિયાને ભાજપનું સભ્યપદ આપ્યું.
દિનેશ મોંગિયા ડેરા બસ્સી વિધાનસભાથી ભાજપના ઉમેદવાર બની શકે છે
ભાજપમાં જોડાતાની સાથે જ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાજપ પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાના ડેરા બસ્સીથી ઉમેદવાર બનાવી શકે છે.મહત્વનું છે કે, ડેરા બસ્સી વિધાનસભા બેઠક પંજાબની મહત્વપૂર્ણ વિધાનસભા બેઠક છે. આ સીટ હાલમાં શિરોમણી અકાલી દળ પાસે છે. 2017ની ચૂંટણીમાં, અકાલી દળના ઉમેદવાર નરિન્દર કુમાર શર્માએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દીપિન્દર સિંહને માત્ર 1921 મતોથી હરાવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે જીત-હારના આ નાના અંતરમાં ભાજપને મોટો ફાયદો દેખાઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, ડેરા બસ્સી વિધાનસભા સીટ પટિયાલા હેઠળ આવે છે.
I want to serve the people of Punjab by joining the Bharatiya Janata Party. Today, there is no other party that can work better than the BJP for the development of the country: Dinesh Mongia at BJP headquarters in Delhi pic.twitter.com/GRey1SC94L
ભાજપની સદસ્યતા સ્વીકાર્યા બાદ પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાએ કહ્યું કે, તેઓ જીવનની નવી પીચ પર નવી ઇનિંગ્સને વધુ સારી રીતે શરૂ કરવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે ભાજપની વિચારધારા અને કામ કરવાની શ્રેષ્ઠ રીતથી પ્રભાવિત થઈને તેમણે ભાજપનું સભ્યપદ લીધું છે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે અમને પંજાબના લોકોનું સંપૂર્ણ સમર્થન મળશે અને અમે વધુ સારું કરીશું. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂત ભાઈઓ પણ ચૂંટણીમાં અમારી પડખે રહેશે.
દિનેશ મોંગિયાએ સપ્ટેમ્બર 2019માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી
દિનેશ મોંગિયાએ 1995-96ની સિઝનમાં પંજાબ તરફથી ક્રિકેટ રમીને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી દિનેશ મોંગિયાએ વર્ષ 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ વન-ડે રમી. દિનેશ મોંગિયાએ વર્ષ 2003માં વર્લ્ડકપની રનર અપ ટીમના સભ્યો પણ હતાં. તેણે છેલ્લે 2007માં પંજાબ માટે ક્રિકેટ મેચ રમી હતી.બીજી તરફ, સપ્ટેમ્બર 2019 માં, દિનેશ મોંગિયાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
પંજાબમાં ભાજપ અમરિન્દર સિંહ અને ઢીંડસાની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે અન્ય બે પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. જે અંતર્ગત પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ધીંડસાના શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે સોમવારે આ ગઠબંધનની જાહેરાત કરી હતી.