એક દિવસ પહેલા જ ચેતન ચૌહાણની તબિયત લથડી હતી. તેમની કિડની નિષ્ફળ ગઈ હતી. જેના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. ચેતન ચૌહાણને જુલાઇ માસમાં જ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેઓ યોગી સરકારમાં હોમગાર્ડ મંત્રી હતા.
યોગી સરકારમાં હતા હોમગાર્ડ મિનિસ્ટર
જુલાઈમાં આવ્યો હતો કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ
કાર્ડિયાક અરેસ્ટને લીધે થયું નિધન
ઉત્તર પ્રદેશના હોમ ગાર્ડ પ્રધાન અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન થયું છે. સાંજે સાડા ચાર વાગ્યે કાર્ડિયાક એરેસ્ટને કારણે ચેતન ચૌહાણનું મોત નીપજ્યું હતું. તેની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ચેતન ચૌહાણને કોરોના વાયરસનો પણ ચેપ લાગ્યો હતો.
એક દિવસ પહેલા જ લથડી હતી તબિયત
એક દિવસ પહેલા જ 73 વર્ષિય ચેતન ચૌહાણની તબિયત લથડી હતી. તેની કિડની નિષ્ફળ ગઈ હતી. જેના કારણે તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. ચેતન ચૌહાણનો કોરોના વાયરસ અહેવાલ જુલાઈ મહિનામાં જ પોજીટીવ આવ્યો હતો. ચેતન ચૌહાણના અવસાન પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. આ સાથે જ ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ચેતન ચૌહાણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
पूर्व अंतरराष्ट्रीय खिलाड़ी, मंत्रिमंडल में मेरे सहयोगी, श्री चेतन चौहान जी के असामयिक निधन का व्यथित कर देने वाला समाचार प्राप्त हुआ।
प्रभु श्री राम, श्री चौहान जी के परिजनों को इस अपार दुःख को सहने की शक्ति एवं दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान प्रदान करें।
ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ બેટ્સમેન રહ્યા છે. ચેતન ચૌહાણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય ચેતન ચૌહાણે સાત વનડેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ચેતન ચૌહાણે ટેસ્ટ મેચોમાં 2084 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે.
Saddened to hear about the demise of Chetan Chauhan ji. His contribution to the game as well as to administration will always be remembered! May god give strength to his family & loved ones! pic.twitter.com/6dvIlqZ7ke
ક્રિકેટ બાદ ચેતન ચૌહાણે રાજકારણમાં પોતાની ઇનિંગની શરૂઆત કરી હતી. ચેતન ચૌહાણ ભારતીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. ચેતન ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. 1991 અને 1998 ની ચૂંટણીમાં તેઓ ભાજપના ટિકિટ પર સાંસદ બન્યા હતા. હાલમાં ચેતન ચૌહાણ ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં પ્રધાન હતા.
યોગી સરકારના બીજા મંત્રીજે કોરોનાના લીધે અવસાન પામ્યા
હાલમાં ચેતન ચૌહાણ અમરોહા જિલ્લામાં નગવા વિધાનસભાના ધારાસભ્ય હતા. તે જ સમયે, ચેતન ચૌહાણ યોગી સરકારના બીજા કેબિનેટ પ્રધાન છે, જેનું મૃત્યુ કોરોના વાયરસને કારણે થયું હતું. આ અગાઉ કેબિનેટ પ્રધાન કમલા રાનીનું કોરોના વાયરસને કારણે લખનઉના પીજીઆઈ ખાતે અવસાન થયું હતું.