અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધા બાદ હવે ભાજપમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના મતે અલ્પેશ ઠાકોર આગામી દિવસોમાં જ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી શકે છે.
અલ્પેશ ઠાકોરના ઘરે ઠાકોર સેનાની બેઠક યોજાશે. જે બેઠકમાં અલ્પેશ ઠાકોરને ભાજપમા જોડાવાની મુદ્દે મહોર મરાશે. અલ્પેશ સાથે ધવલસિંહને પણ ભાજપમાં જોડાવા મુદ્દે મહોર મરાશે. થોડીવારમાં ઠાકોર સેના સત્તાવારી જાહેરાત કરશે. તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઇ શકે છે.
કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગે અલ્પેશ ઠાકોરે સંકેત આપતા ગઇકાલે જણાવ્યું હતું કે તેઓ રાધનપુરથી જ ચૂંટણી લડશે. આ તમામ મુદ્દે આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક મળશે. ભૂતકાળમાં પણ કોંગ્રેસમાં જોડાતા પહેલા આવી રીતે પહેલા નિર્ણય કર્યા બાદ કોર કમિટીની બેઠક બોલવ્યા બાદ જાહેરાત કરી હતી. તેવી જ રીતે કોંગ્રેસ છોડતા પહેલા બેઠક બોલાવીને જાહેરાત કરી હતી. ત્યારે વધુ એકવાર કોર કમિટીની બેઠકની જાહેરાત કરતા તેઓ ભાજપમાં જોડાવાના સંકેત મળી રહ્યા છે.
આ અંગે અલ્પેશે જણાવ્યું હતું કે, કોર સમિતીના કહેવાથી જ કોંગ્રેસ છોડી છે. કોર સમિતી કહેશે તો ભાજપમાં જોડાઇશ. હું ચૂંટણી રાધનપુરથી જ ચૂંટણી લડીશ. તો અલ્પેશ ઠાકોરે તેના પિત્રાઈ ભાઈ અને કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરના પણ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભરતજી ઠાકોર પર ઠાકોર સેનાને કોઇ શંકા નથી. ભરતજી ઠાકોર સેનાના વફાદાર છે.