ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને લઇ વિજય રૂપાણીએ કહ્યું કે મારા અને સી.આર.પાટીલ વચ્ચે કોઇ નારાજગી નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે.
પાટીલને લઇ શું કહ્યું વિજય રૂપાણીએ?
મતભેદ અંગે રૂપાણીએ શું આપ્યું નિવેદન?
મતભેદની વાતોને લઇ શું કહ્યું રૂપાણીએ?
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમગ્ર દિવસ દરમિયાન રાજકોટની મુલાકાતે હતા, જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેના સાથે હાજર ન રહેતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા હતા, પાટીલની સાથે અન્ય કેટલાક ભાજપ નેતાઓ પણ હાજર ન રહેતા ભાજપામાં ડખો ચાલતો હોવાની અટકળો વહેતી થઈ હતી..
પૂર્વ CM વિજય રૂપાણીનું સી.આર.પાટીલને લઇ મહત્વનું નિવેદન
આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, વિજય રૂપાણીએ કહ્યું કે મારા અને સી.આર.પાટીલ વચ્ચે કોઇ નારાજગી નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે. અને તેમને મારો સંપૂર્ણ સહકાર અને તેમની સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.. મહત્વનું છે કે ગુજરાતમાં રાતોરાત સત્તા પરિવર્તન થતા અનેક મંત્રીઓ અને મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા..મુખ્યમંત્રીથી લઈને નાયબ મુખ્યમંત્રી..તેમજ કેબિનેટ મંત્રીઓને પડતા મુકીને નવું મંત્રી મંડળ અને નવા મુખ્યમંત્રીને ગુજરાતની જવાબદારી સોંપવામં આવી હતી.. જેમાં વિજય રૂપાણીથી લઈને નીતિન પટેલ, અને રાજ્યમંત્રી મંડળમાં મોટા નેતાઓએ પણ મંત્રી પદ છોડવાનો વારો આવ્યો, જેથી હવે ભાજપમાં વિખવાદ ઉભો થયો હોય તેમ લાગી રહ્યું છે.. તેમાય તે ગઈ કાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજકોટની મુલાકાતે હતા ત્યારે આખા દિવસના કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા એક પણ કાર્યક્રમમાં હાજર ન રહ્યા હતા. આખા દિવસ દરમિયાન કુંવરજી નારાજ રહેતા રાજકીય અટકળો વહેતી થઇ છે. ત્યારે કુંવરજી બાવળિયા મંત્રી પદ ગયા બાદ ભાજપથી નારાજ છે.
મારે અને સી.આર.પાટીલ વચ્ચે કોઈ મતભેદ નથીઃ વિજય રૂપાણી
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ CM રૂપાણી અને MLA ગોવિંદ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. તો બીજી તરફ 20 નવેમ્બરના રોજ યોજાનારા સ્નેહમિલનમાં જનસંઘથી ભાજપ સુધીના તમામ કાર્યકરો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. જોકે આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હોવાનું ચર્ચાયું છે. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો. જો કે અગાઉ રાજકોટમાં 15 નવેમ્બરના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મોટા નેતાના નામ જોવા નહીં મળતા વિવાદ થયો હતો. જો કે સમગ્ર મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે કોઇપણ જગ્યાએ કોઇ જૂથવાદ નથી. જે પણ છે, તે વ્યક્તિગત મુદ્દા હશે. આ તમામ પ્રશ્નોને શોર્ટ આઉટ કરવામાં આવશે. કોઇપણ ટિપ્પણી કોઇની સામે ન કરે તેવી સૂચના આપી છે. વિવાદના મધપૂડાને ડામવા વિજય રૂપાણીને લઈને પાટીલે કહ્યું હતું કે અમારા સ્ટાર પ્રચારકમાં વિજય રૂપાણી છે અને રહેશે..તે નિવેદન બાદ આજે વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે, વિજય રૂપાણીએ કહ્યું કે મારા અને સી.આર.પાટીલ વચ્ચે કોઇ મતભેદ નથી. અમે સાથી કાર્યકર્તા તરીકે સાથે કામ કરીએ છીએ. પ્રદેશના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે. અને તેમને મારો સંપૂર્ણ સહકાર અને તેમની સાથે હું સારી રીતે કામ કરી રહ્યો છું.
પાટીલે અનેક નેતાઓની લીધી મુલાકાત
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે રાજકોટ -જામનગરની મુલાકાતે હતા.સવારે જ એરપોર્ટ પર કાર્યકરોના ધાડા,પાટીલને સત્કારવા ઉમટયા હતા. પ્રદેશ પરમુખ પાટીલે રાજકોટમાં ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે શુભેછા મુલાકાત કરી આશીર્વચન માંગ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે, ખોડલ ધામના અગ્રણી અને પાટીદાર સમાજસેવી નરેશ પટેલના ઘરે જઈને મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે, જસદણના એક પાટીદાર સમારોહમાં તમામ પાટીદાર અગ્રણીઓએ એક સૂરે માંગ કરી હતી કે, પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચાવા જોઈએ. આ મુલાકાત દરમિયાન,શ્રી પાટીલે,નરેશ પટેલને કેસ પરત ખેંચાવા અંગે હૈયાધારણ આપી હોવાનું નરેશ પટેલે જણાવ્યું હતું. પાટીલ-પટેલ વચ્ચે બંધ બારણે યોજાયેલી આ બેઠકનો હેતુ કોઈ રાજકીય ના હોવાનો ઉલ્લેખ પણ નરેશ પટેલે કર્યો હતો. તેમણે એમ પણ ઉમેર્યું કે, પાટીદારો સામે કેસ ખેંચવાની વાતની મને જાણ હતી એટલે મે આભાર માન્યો છે.
કુંવરજી બાવળિયા ન આવ્યા કાર્યક્રમમાં
આમ પાટીલ આખો દિવસ રાજકોટમાં રહ્યા પણ આ દિગ્ગજ નેતાઓ ક્યાંય ન દેખાતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે, વિજય રૂપામી સહિત કુંવરજી બાવળિયા આખા દિવસમાં એકપણ કાર્યક્રમમાં ન દેખાયા ભાજપમાં ડખો છે તે ખુલીને સામે આવી રહ્યું છે..જો કે આ મુદ્દે કોઈ પણ ભાજપ નેતા કંઈ કહેવા તૈયાર નથી...