લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં આવી છે, ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ વિશેષ જવાબદારી
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં
ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ જવાબદારી
પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલને સોંપાઈ જવાબદારી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન શરૂ કર્યો છે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ... બેમિસાલ’ રાખવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં પણ યોજાશે, લોકસભા વિસ્તારો પ્રમાણે કાર્યક્રમોને લઈ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 30, 2023
ગુજરાતના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ
લોકસભાની ચૂંટણીને લઈ કેટલાક નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને લોકસભા વિસ્તારોમાં કાર્યક્રમોને લઈ જવાબદારી સોંપાઈ છે. મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમને લઈ લોકસભા વિસ્તારને પ્રમાણે ગુજરાતના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલને તેમજ જીતુ વાઘાણી, વિનોદ ચાવડા અને ભારતી બેન શિયાળને જવાબદારી સોંપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30 મેથી એટલે કે આજથી 30 જૂન સુધી ચાલશે.
વિજય રૂપાણીને જવાબદારી સોંપાઇ
લોકસભા ચૂંટણીને લઇ ભાજપે તૈયારી શરૂ કરી છે. દિલ્લીની 7 લોકસભાની બેઠકો માટે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને જવાબદારી સોંપાઇ છે. 3 બેઠકો ચાંદની ચોક ,નોર્થ ઇસ્ટ અને ઇસ્ટ સીટના પ્રભારી બનાવ્યા છે જ્યારે કેન્દ્રીય મંત્રી એસ જયશંકરને 4 બેઠકોની જવાબદારી સોંપવામા આવી છે. જેમાં દક્ષિણ, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને નવી દિલ્હી બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપનું મહાસંપર્ક અભિયાન 30 મેથી 30 જૂન સુધી ચાલશે.
ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે
તમામ જિલ્લા મથકોથી બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલીઓ થશે. 396 લોકસભા બેઠકો પર જાહેર સભાઓ યોજાશે, જેમાં કેન્દ્રીય પ્રધાન અથવા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે, જેઓ આ રેલી અને જાહેર સભાઓમાં ભાગ લેશે. દેશભરના એક લાખ વિશેષ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આમ, દરેક લોકસભામાં 250 પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાનમાં રાજ્યની પ્રભાવશાળી વ્યક્તિઓ, જેમ કે રમતવીર, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ અને અન્ય જાણીતા પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે..
10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે PMની વાતચીત
પીએમ મોદી 23 જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ 10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. 20થી 30 જૂન દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. નવ વર્ષની સિદ્ધિઓ લોકો સાથે શેર કરવામાં આવશે અને પ્રચાર સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.