ભાજપના વરિષ્ઠ નેતાની હાલત નાજુક થઈ જતાં તેમને યુપીની રાજધાની લખનઉની SGPGIમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુપીના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક
89 વર્ષીય કલ્યાણસિંહ હાલ વેન્ટિલેટર પર
4 જુલાઇથી છે હોસ્પિટલમાં દાખલ
યુપીના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહની હાલત નાજુક થઈ જતાં તેમને યુપીની રાજધાની લખનઉની SGPGIમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. SGPGI એ તેમની સ્વાસ્થ્યના સમાચાર આપ્યા તે મુજબ 89 વર્ષીય કલ્યાણસિંહની સ્વાસ્થ્યની સ્થિતિ નાજુક છે. સંસ્થાના નિર્દેશક પ્રોફેસર આર કે ધીમન દ્વારા માહિતી આપતા કહ્યું કે તેમની સ્થિતિ નાજુક હોવાને કારણે હાલ તેમણે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. પળે પળનું મોનીટરીંગ કરવા માટે થઈને અલગ અલગ વિભાગોની ટીમ કામ કરી રહી છે. હોસ્પિટલમાં પૂર્વ મુખ્યમંત્રીના પરિવારજનો હાજર છે.
89 વર્ષીય કલ્યાણસિંહ હાલ વેન્ટિલેટર પર
કલ્યાણસિંહની સ્થિતિ હાલ નાજુક છે, હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તે અત્યારે ક્રિટીકલ કેર મેડિસિન, નેક્રોલોજી, ન્યૂરોલોજિ, કાર્ડિયોલોજિ જેવા વિભાગોના એક્સપર્ટ ડોક્ટર્સની ટીમની દેખરેખ હેઠળ છે. તેમના સ્વાસ્થ્યને લઈ બધી જ રીતે નજર રાખવામાં આવી રહી છે. સંસ્થાના નિર્દેશક છેલ્લા ઘણા દિવસથી તેમની સારવારનું નિરીક્ષણ કરી રહ્યા છે.
4 જુલાઇથી છે હોસ્પિટલમાં દાખલ
4 જુલાઇથી સંક્રમણ અને બીજી બીમારીને લઈ SGPGIમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ પેહલા તેમની સારવાર રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં થઈ રહી હતી. પણ ત્રણ જુલાઇનો રાતે વધુ BP વધી જતાં તેમને નાનો અટેક પણ આવ્યો હતો, જેના બાદ તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા. આ પછી પણ ચાર જુલાઇએ સંજય ગાંધી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.