બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પહેલા મંચ પરથી બ્રાહ્મણોને ખુલ્લેઆમ અપશબ્દો બોલ્યા હતા. જ્યારે વિવાદ વધી ગયો, ત્યારે તેઓ સ્પષ્ટતા કરી માફી માંગી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના બોલ બગડ્યાં
પટનામાંભુયન મુસહર કોન્ફરન્સ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ
બાદમાં નિવાસ્થાને ખુલાસો કરી માફી માંગી
જીતનરામ માંઝી બ્રાહ્મણો અપશબ્દો બોલીને વિવાદમાં આવ્યા
હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી બ્રાહ્મણોને અપશબ્દો બોલીને વિવાદમાં આવ્યા છે. મહત્વનું છે કે, માંઝી રાજ્યના રાજકારણમાં સતત વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા છે. પરંતુ હવે તેણે સ્ટેજ પરથી અને કેમેરાની સામે ખુલ્લેઆમ અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું છે.
જીતન રામ માંઝીએ પંડિતોને ગાળો આપી હતી
શનિવારે પટનામાં ભુયન મુસહર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસહર સમાજની મોટી રાજકીય વ્યક્તિ હોવાના કારણે જીતનરામ માંઝી મુખ્ય મહેમાન હતા. અહીં માંઝીએ પોતાના ભાષણ દરમિયાન બ્રાહ્મણો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. માંઝીએ ધર્મના નામે થઈ રહેલી રાજનીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેણે પંડિતો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
જીતનરામ માંઝીએ શું કહ્યું?
જીતનરામ માંઝીએ ભુયન મુસહ સંમ્મેલનમાં કહ્યું હતું કે 'આજકાલ ગરીબ લોકોમાં ધર્મની ભક્તિ વધી રહી છે. ભગવાન સત્યનારાયણની પૂજાનું નામ આપણે જાણતા ન હતા. *&%# હવે દરેક ગામમાં આપણે ભગવાન સત્યનારાયણની પૂજા કરીએ છીએ. પંડિત *&%# આવીને કહે છે કે કંઈ ખાશે નહીં ... બસ થોડાક રોકડ આપો.'
'હું રામને ભગવાન માનતો નથી'
માંઝીએ ભગવાન રામને લઈને પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે અમે રામમાં માનતા નથી, તે માણસ નહોતો. તે કાલ્પનિક છે. આપણે મૂર્તિઓની પૂજા કરીએ છીએ. શું આપણે તેમને ભગવાન માનવા જોઈએ? એ જ રીતે, રામ ભગવાન નથી. તે ઠીક છે કે, તેમના નામ પર રામાયણ લખાયું છે. રામાયણમાં આવી ઘણી કહેવતો છે, જે વાંચવા જેવી છે. સમજી શકાય તેવું છે. પણ રામ ભગવાન છે એમ માનવા તૈયાર ન હતા.
વિવાદ બાદ જીતનરામ માંઝીએ ખુલાસો આપ્યો
જ્યારે વિવાદ વધી ગયો, ત્યારે પટનામાં તેમના નિવાસસ્થાને ખુલાસો કરી માફી માંગતાં કહ્યું કે, તેમણે પંડિતો માટે કોઈ અપશબ્દો નથી કહ્યાં.અને જો મારા આવા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગું છું. જીતન રામ માંઝીએ વધુમાં કહ્યું કે, તે શબ્દોનો પ્રયોગ તેમણે પોતાના સમાજના લોકો માટે કર્યો હતો. અમારા સમાજમાં લોકો આવા લોકો પાસે પૂજા કરાવી રહ્યાં છે. જે અમારી ત્યાં ખાવાનું પસંદ નથી કરતાં.
માંઝીના નિવેદન બાદ બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ
જીતનરામ માંઝીના નિવેદન બાદ બ્રહ્મણ સમાજમાં ભારે રોષ અને ગુસ્સો પ્રવર્તી રહ્યો છે. રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભાના પરશુરામ સેવા સંસ્થાનના પ્રવક્તા રજનીશ કુમાર તિવારીએ આ નિવેદન પર સખત વિરોધ વ્યક્ત કર્યો છે. આ સંસ્થાનને કહ્યું કે, જીતન રામ માંઝી માફી માંગે સંગઠને કહ્યું કે, તેઓ પૂર્વ સીએમના આ નિવેદન વિરૂદ્ધ કોર્ટમાં જશે