મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મુંબઈમાં કોંગ્રેસ-NCP અને શિવસેનાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃથ્વિરાજ ચવ્હાણ, એનસીપી નેતા છગન ભુજબળ અને શિવસેનાના એકનાથ શિંદે શામેલ હતાં. પ્રથમવાર કોંગ્રેસ, NCP અને શિવસેનાની બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પક્ષો પર નિશાન સાધ્યું હતું.
પ્રથમવાર કોંગ્રેસ, NCP અને શિવસેનાની બેઠક
ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષોની સરકાર લાંબી ચાલશે નહીં
કોંગ્રેસ, એનસીપી અને શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. ત્રણેય પાર્ટીઓના એકસાથે આવવા પર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું કે અમને નથી લાગતું કે આવી સરકાર બનશે અને જો એવું થશે તો તે 6 મહિનાથી વધુ સરકાર નહીં ચાલી શકે.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ સરકાર સિવાય અને કોઇ વિકલ્પ નથી. પૂર્વ મુખ્યમંત્રીએ આ વાત ભાજપના ધારાસભ્યોની સાથે થયેલ બેઠકમાં કહી હતી.
જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં લાગૂ રાષ્ટ્રપતિ શાસન વચ્ચે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના તરફથી સરકાર બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ગુરુવારે ત્રણેય પાર્ટીઓની બેઠક થઇ.
ત્યારબાદ પહેલા વખત એકસાથે ત્રણેય પાર્ટીઓના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ પર સહમતી બની છે.
આ ઉપરાંત તેમણે કહયું હતું કે,અમારી માટે ખેડૂતો અને બેરોજગારીનો મુદ્દો મહત્વનો છે. પ્રજાને ન્યાય અપાવવા સરકાર બનાવી રહ્યાં છીએ. અમે સાથે મળી આગળ વધીશું અને સરકાર ચલાવીશું. તો બીજી તરફ ફડણવીસે ત્રણેય પક્ષો પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું કે ત્રણેય પક્ષોની સરકાર લાંબી ચાલશે નહીં.