પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇને રાજ્યસભાની ઓફર મળવા પર હવે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ કુરિયન જોસેફે સવાલ ઉઠાવતા નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું છે કે 'જસ્ટિસ ગોગોઇએ જાતે સ્વીકારી જ્યૂડીશ્યરી (ન્યાય તંત્ર)ની સ્વતંત્રતામાં સામાન્ય લોકોના વિશ્વાસને ઝટકો આપ્યો છે. જે ભારતીય બંધારણના બુનિયાદી ઢાંચામાંથી એક છે.
SCના પૂર્વ જજ જસ્ટિસ કુરિયન જોસેફે રંજન ગોગોઇને રાજ્યસભાની ઓફર મળવા પર ઉઠાવ્યા સવાલ
જસ્ટિસ ગોગોઇએ ન્યાય તંત્રની સ્વતંત્રતામાં સામાન્ય લોકોના વિશ્વાસને ઝટકો આપ્યો
જસ્ટિસ ગોગોઇના સાથી રહેલા જજ કુરિયને એમ પણ કહ્યું, હું એ જોઇને હેરાન છું કે આખરે કેવી રીતે પૂર્વ સીજેઆઇએ જ્યૂડીશ્યરીની આઝાદી અને નિષ્પક્ષતાના સિદ્ધાંતો સાથે સમજૂતી કરી લીધી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઇનું નામ રાજ્યસભા માટે નામાંકિત કરાયું. જે સાથે જ દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો. પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇએ આ મામલે એક નિવેદન આપ્યું.
રાજ્યસભાની સદસ્યતા લેવાના સવાલ પર પૂર્વ ચીફ જસ્ટિસે શપથ ગ્રહણ કર્યા બાદ તેનો જવાબ આપવાની વાત કહી છે. તેઓએ કહ્યું, હું સંભવત: કાલે (બુધવારે) દિલ્હી જઇશ, મને શપથગ્રહણ કરવા દો, ત્યારબાદ વિસ્તારથી મીડિયાને જણાવીશ કે મેં રાજ્યસભાની સદસ્યતા કેમ સ્વીકાર કરી.
નોંધનીય છે કે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ 17 નવેમ્બર 2019એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના પદેથી સેવા નિવૃત થયા હતા.