ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીને દુનિયાનો સૌથી સારા બેટ્સમેનમાંથી એક છે, તે સતત રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે પરંતુ શું તમે જાણો છો કે, એક સમયે તેના સિલેક્શનની 2008માં કેપ્ટન એમ એસ ધોની, કોચ ગેરી કર્સ્ટન અને BCCI ના પ્રમુખ એન શ્રીનિવાસન ખુશ નહોતા. આ વાતનો ખુલાસો તે સમયે સિલેક્શન ટીમના ચેરમેન રહેલા દિલીપ વેંગસરકરે કર્યો છે.
આપણે સૌ જાણીએ છીએ કે, ટીમ ઇન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલી અને એમ એસ ધોની એકબીજાને સન્માન કરે છે, ઘણા સમયે વિરાટ કોહલીએ કહ્યુ કે, ધોની તેનો કેપ્ટન છે તો ઘણી વખત ધોનીએ તેને ગ્રાઉન્ડમાં જ નહી પરંતુ ગ્રાઉન્ડની બહાર પણ મહત્વની સલાહ આપી છે પરંતુ પૂર્વ કેપ્ટન અને ચફ દિલીપ વેંગસરકરે કહ્યુ કે, મેં અને મારી પેનલે અંડર 23 ટીમના કેટલાક ખેલાડીઓને ટીમમાં લેવાનો નિર્ણય લીધો હતો. તે જ સમયે ટીમ ઇન્ડિયા અંડર 19 વર્લ્ડકપનું ટાઇટલ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં જીત્યુ હતુ, તેણે ટૂર્નામેન્ટમાં સારું ફોર્મ કર્યુ હતુ. 2008માં શ્રીલંકાના પ્રવાસ માટે અમે તેને લીધો. જોકે અમારા નિર્ણયથી ધોની ખુશ ન હતો.
તેમણે આગળ કહ્યુ કે, ''ગેરી કસ્ટર્ન અને ધોનીએ વિરાટ માટે સ્પષ્ટ ના કહી હતી. બંને કહ્યુ કે, અમે તેને રમતા જોયો નથી અને જૂની ટીમ સાથે જ શ્રીલંકા જઇશું. મેં જણાવ્યુ કે, મેં તો છોકરાને રમતા જોયો છે અને તેને ટીમમાં હોવું જોઇએ. ધોની અને BcCI ના પ્રમુખ શ્રીનિવાસને કહ્યુ કે, એસ બદ્રીનાથને ટીમમાં હોવુ જોઇએ, તેણે ડોમેસ્ટિક સારું ફોર્મ કર્યુ છે અને એવું થયુ પણ ખરું. જોકે વિરાટને પણ શ્રીલંકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન મળી ગયું.''
ઉલ્લેખનીય છે કે, વિરાટે શ્રીલંકા વિરુદ્ઘ ડેબ્યૂ કર્યુ હતુ, તેણે 18 ઓગસ્ટ 2008 ના રોજ પોતાની પહેલી મેચમાં ઑપનિંગ કરતા 22 બૉલમાં 1 બાઉન્ડ્રીની મદદથી 12 રન કર્યા હતા. જ્યારે એસ બદ્રીનાથે બીજી વનડેમાં 20 ઓગસ્ટના રોજ ડેબ્યૂ કર્યુ હતુ.