રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લાંબા સમય બાદ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
લાંબા સમય બાદ પૂર્વ મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા
ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ધૂણવા મામલે કરી હતી રમજૂ ટકોર
આપણે ધૂણવાનું ન હોય ધૂણાવવાના હોયઃ રૂપાણી
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યાને આશરે આઠેક માસ જેટલો સમય વિત્યો છે. ત્યારે રાજીનામાં બાદના લાંબા સમયગાળા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ગઈકાલે રાજકોટ જિલ્લાના અટકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે વિજય રૂપાણીએ હાજરી આપી હતી અને તેમને રાજ્ય સરકારના મંત્રી ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ધૂણવા મામલે રમજૂ ટકોર કરી હતી.
પૂર્વ CM વિજય રૂપાણી હળવા મૂડમાં જોવા મળ્યા
આઠેક મહિના અગાઉ વિજય રૂપાણીએ રાજ્યના મુખ્યમંત્રી પદેથી એકાએક રાજીનામું ધરી દીધું હતું. રાજીનામાં પછાળના કારણ અંગે જે-તે સમયે અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. જેના લાંબા સમય બાદ ગઈકાલે વિજય રૂપાણી હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં ભાજપના અનેક દીગજ્જ નેતાઓની હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે પૂર્વ CM વિજય રૂપાણી હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
આપણે થોડું ધૂણવાનું હોય આપણે ધૂણાવવાના હોય :વિજય રૂપાણી
રાજકોટના ગુંદા ગામે માતાજીના માંડવાના ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ધારાસભ્ય અરવિંદ રૈયાણી ધૂણ્યા હતા.રૈયાણી લોખંડની સાંકળ વળે તેમના શરીર પર ઘા ઝીંકતા હતા અને લોકો દ્વારા તેમના પાર રૂપિયાનો અનરાધાર વરસાદ વરસાવવામાં આવ્યો હતો. જે અંગેનો વિડીયો પણ વહેતો થયો હતો. આ મામલે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોસ્પિટલના કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મળ્યા હતા તે દરમિયાન વિજય રૂપાણીએ હળવાસના મૂળમાં આપણે થોડું ધૂણવાનું હોય આપણે ધૂણાવવાના હોય તેમ કહીને સૂચક નિવેદન આપ્યું હતું.