છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીનું શુક્રવારે ટૂંકી બીમારી બાદ દેહાવસાન થયું હતું. તેમના દીકરા અમિત જોગીએ ટ્વીટ કરીને તેમના નિધન અંગેના સમાચાર આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે, 20 વર્ષના યુવા છત્તીસગઢ રાજ્ય પર પિતાનો પડછાયો હવે રહ્યો નથી.
२० वर्षीय युवा छत्तीसगढ़ राज्य के सिर से आज उसके पिता का साया उठ गया।केवल मैंने ही नहीं बल्कि छत्तीसगढ़ ने नेता नहीं,अपना पिता खोया है।माननीय अजीत जोगी जी ढाई करोड़ लोगों के अपने परिवार को छोड़ कर,ईश्वर के पास चले गए।गांव-गरीब का सहारा,छत्तीसगढ़ का दुलारा,हमसे बहुत दूर चला गया। pic.twitter.com/RPPqYuZ0YS
આ સાથે જ તેમણે વધુમાં લખ્યું હતું કે, માત્ર મેં જ નહીં પરંતુ સમગ્ર છત્તીસગઢે નેતા નહીં પરંતુ પિતા ગુમાવ્યા છે. અજીત જોગી અઢી કરોડ લોકોના તેમના પરિવારને છોડીને ઇશ્વરની પાસે ચાલ્યા ગયા છે.
वेदना की इस घड़ी में मैं निशब्द हूँ।परम पिता परमेश्वर माननीय @ajitjogi_cg जी की आत्मा को शांति और हम सबको शक्ति दे।
છેલ્લા કેટલાક દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે
છત્તીસગઢના પૂર્વ સીએમ અજિત જોગીની અચાનક તબિયત લથડી હતી. અચાનક શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા તેમને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોના કહેવા મુજબ, તેમને કાર્ડિયાક અરેસ્ટ છે. પરિસ્થિતિ વધુ વણસતી જોઈને ડોકટરોએ તેમને વેન્ટિલેટર પર પણ રાખ્યા હતા. ત્યારે આજરોજ તેમનું નિધન થયું હતું.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીજીના નિધનના સામાચારથી દુ:ખ થયું. તેમના ચરણોમાં શ્રધ્ધાસુમન અર્પણ કરું છું.
કાર્ડિયાક અરેસ્ટ એટલે શું ?
ઉલ્લેખનીય છે કે મેડિકલ સાયન્સમાં હૃદય જ્યારે શરીરમાં લોહી પંપ કરવાનું બંધ કરે છે ત્યારે કાર્ડિયાક એરેસ્ટનો એટેક આવે છે. કાર્ડિયાક એરેસ્ટ અચાનક થાય છે. જો કે, જેમને હાર્ટ ડિસીઝ છે તેમને કાર્ડિયાક એરેસ્ટ થવાની સંભાવના વધારે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, કાર્ડિયાક એરેસ્ટ પહેલાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો, ચક્કર આવવું જેવા લક્ષણો જોવા મળી શકે છે.
છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી બન્યા બન્યા હતા અજીત જોગી
છત્તીસગઢ રાજ્યની રચના થયાં બાદ અજીત જોગી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે વર્ષ 2000માં રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે સત્તા સંભાળી હતી.
छत्तीसगढ़ के वरिष्ठ नेता और पूर्व मुख्यमंत्री श्री अजीत जोगी जी के निधन से दुःखी हूँ। मैं उनके चरणों में श्रद्धासुमन अर्पित करता हूँ।
मेरी संवेदनाएँ शोकाकुल परिवार के साथ हैं। ईश्वर दिवंगत आत्मा को शांति दें और इस कठिन घड़ी में उनके परिजनों को संबल प्रदान करें।
ॐ शांति
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 29, 2020
તેમણે શપથગ્રહણ સમારોહમાં કહ્યું હતું કે, હું સપનાનો સૌદાગર છું, હું સપના વેચું છું. પરંતુ તેઓ 2000ના વર્ષ બાદ રાજનીતિની ટોચ પર પહોંચી ન શક્યા. તેઓ 2 વખત રાજ્યસભાના સભ્ય, 2 વખત લોકસભાના સભ્ય તથા એક વખત રાજ્યના મુખ્યમંત્રી પદ શોભાવ્યું હતું.