ભારતમાં ચૂંટણીના નિયમોને કડક રીતે લાગૂ કરાવનારા પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન શેષનનું રવિવારે 86 વર્ષે નિધન થયું છે. ચેન્નાઈ ખાતે તેમના નિવાસ સ્થાને ટી.એન શેષનનું નિધન થયું છે. ટી.એન શેષન દેશના 10મા મુખ્ય ચૂંટણી કમિશ્નર હતા.
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન શેષનનું નિધન
86 વર્ષની વયે ટી.એન શેષનનું નિધન થયુ
દેશના 10માં મુખ્ય ચૂંટણી કમિશનર હતા શેષન
1955 બેચના IAS ઓફિસર હતા ટી.એન શેષન
ટી. એન શેષને બજાવી આ કામગીરી
1996માં રોમન મેગ્સેસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ તેમને સરકારી સેવામાં ઉમદા કામગીરી માટે મળ્યો હતો. ડિસેમ્બર 1990થી ડિસેમ્બર 1996 સુધી તેઓ મુખ્ય ચૂંટણી કમિશ્નર રહ્યા હતા. ટી. એન શેષન 1955 બેચના IAS ઓફિસર રહી ચૂક્યા હતા. ત્યારબાદ 1988માં ડિફેન્સ વિભાગના સેક્રેટરી તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. દેશના રાષ્ટ્રપતિ પદ માટે તેઓએ ઉમેદવારી નોંધાવી હતી. 1990માં મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા બાદ શેષનનો ડાયલોગ 'આઈ ઈટ પોલિટિશિયન્સ ફોર બ્રેકફાસ્ટ' ચર્ચામાં રહ્યો હતો.
શેષનનો પરિવાર
શેષન પોતાના 6 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેમના પિતા વ્યવસાયે વકીલ હતા. કેરળમાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા શેષન આઈએસઆઈની પરીક્ષામાં ટોપ કરનારા અને કેબિનેટ સચિવના પદ પર પહોંચનારા સફળ વ્યક્તિ રહ્યા હતા.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પીએમ મોદીએ ટી.એન શેષનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે ટી.એન શેષન એક ઉત્કૃષ્ટ સિવિલ સેવક હતા. અત્યંત પરિશ્રમ અને નિષ્ઠાની સાથે ભારતની સેવા કરી હતી. ચૂંટણી સુધારાને પ્રતિ તેમના પ્રયાસોએ આપણા લોકતંત્રને મજબૂત અને વધારે સહભાગી બનાવ્યું છે. તેમના નિધનનું દુઃખ છે. ઓમ શાંતિ.
Shri TN Seshan was an outstanding civil servant. He served India with utmost diligence and integrity. His efforts towards electoral reforms have made our democracy stronger and more participative. Pained by his demise. Om Shanti.
પીએમ મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
Saddened by the demise of former Chief Election Commissioner, Shri T N Seshan ji. He played a transformative role in reforming and strengthening India’s electoral institution. The nation will always remember him as a true torchbearer of democracy. My prayers are with his family.
Saddened by the demise of Shri TN Seshan. He was a true legend.
His contribution towards election reforms will be the guiding light for years to come. My deepest condolences. Om Shanti!