પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા મોટી મંદીની તરફ જઇ રહી છે. તેઓએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા ICUમાં જઇ રહી છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા એકવાર ફરીથી ટ્વીન બેલેન્સ શીટ (TBS) ના સંકટથી પસાર થઇ રહી છે.
અરવિન્દ સુબ્રમણ્યમે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા મોટી મંદીની તરફ જઇ રહી છે
ભારતની અર્થવ્યવસ્થા એકવાર ફરી TBSના સંકટથી પસાર થઇ રહી છે
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા મોટી મંદીની તરફ જઇ રહી છે. તેઓએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા ICUમાં જઇ રહી છે. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા એકવાર ફરીથી ટ્વીન બેલેન્સ શીટ (TBS) ના સંકટથી પસાર થઇ રહી છે.
સુબ્રમણ્યમે હાવર્ડ યૂનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એક ડ્રાફ્ટ વર્કિંગ પેપરમાં કહ્યું કે વર્તમાનમાં ભારતીય અર્થવ્યવસ્થાને ટ્વિન બેલેન્સ શીટ (IBS) સંકટની 'બીજી લહેર'નો સામનો કરવો પડી રહ્યો છે, જે 'મોટી મંદી'ના રૂપે છે.
દેશના પૂર્વ સીઇએએ કહ્યું કે, 'સ્પષ્ટપણે આ એક સામાન્ય મંદી નથી. આ ભારતની મોટી મંદી છે. જ્યાં અર્થવ્યવસ્થા પર યોગ્ય ધ્યાન આપવાની જરુર પડી છે.' સુબ્રમણ્યમે ટીબીએસ સંકટની તરફ ધ્યાન ખેંચ્યું છે. જે મોદી સરકારમાં તેમના મુખ્ય આર્થિક સલાહકાર પદ પર રહેતા ખાનગી કોર્પોરેટ્સ દ્વારા એનપીએના રૂપે વધતા દેવા સાથે જોડાયેલું છે.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના ભારત સ્થિત કાર્યાલયના પૂર્વ પ્રમુખ જોશ ફેલમેનની સાથે સહ-લેખકના રૂપે લખેલા આર્ટિકલમાં સુબ્રમણ્યમ, જે હવે હાવર્ડ કેનેડી સ્કૂલમાં ભણાવે છે, પોતાના પહેલા ટીબીએસ અને બીજા ટીબીએસ વચ્ચેનું અંતર બતાવ્યું છે.
TBS-1 વર્ષ 2004થી 2011 વચ્ચે બેંક લોન્સની છે. જ્યારે રોકાણ ટોચ પર હતું અને બેંકોએ સ્ટીલ, વીજળી અને પાયાગત ઢાંચા ક્ષેત્રની કંપનીઓને ખૂબ જ લોન આપી હતી. TBS-2 નોટબંધી બાદની આર્થિક ગતિવિધિઓને લઇને છે. જેમા બિન બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) અને રિયલ એસ્ટેટ ફર્મોને સામેલ કરવામાં આવ્યા છે.
પેપરમાં કહેવામાં આવ્યું છે કે, નોટબંધી બાદ મોટી માત્રામાં રોકડ બેંકમાં પહોંચી. તેનો મોટો ભાગ NBFCને આપવામાં આવ્યો. ત્યારબાદ NBFCએ આ પૈસા રિયલ એસ્ટેટ સેક્ટરમાં લગાવ્યા. 2017-18 સુધી રિયલ એસ્ટેટના 5,00,000 કરોડ રૂપિયાની બાકી અચલ સંપત્તી દેવા માટે NBFC જવાબદાર હતી.
સુબ્રમણ્યમ મુજબ, સપ્ટેમ્બર 2018માં IL&FSનું ડુબવું એક આંચકા જનક ઘટના હતી, આ આંચકા જનક ઘટના ન માત્ર 90,000 કરોડ રૂપિયાથી વધારેના દેવાને કારણે હતી, પરંતુ આખા NBFC સેક્ટરના પૂનર્મુલ્યાકંન કરવા માટે પણ હતી.