પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (CEA) અરવિંદ સુબ્રમણ્યમે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને ચિંતા દર્શાવી છે. તેઓએ કહ્યું કે, ભારત 'ગંભીર આર્થિક મંદી' માં છે. બેન્કો અને કંપનીઓની ટૂઇન બેલેન્સશીટ ક્રાઇસિસને કારણે અર્થવ્યવસ્થા પર ભારે દબાણ છે. અરવિંદ સુબ્રમણ્યમ નરેન્દ્ર મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) રહ્યા છે. તેઓએ ગત વર્ષ ઓગસ્ટમાં રાજીનામુ આપ્યું હતું.
અરવિંદ સુબ્રમણ્યમે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને ચિંતા દર્શાવી
અરવિંદ સુબ્રમણ્યમે કહ્યું, ભારત 'ગંભીર આર્થિક મંદી' માં છે
અર્થવ્યવસ્થા ICU માં જઇ રહી છે : અરવિંદ સુબ્રમણ્યમ
સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ( IMF) ના ભારત ખાતેના કાર્યાલયના પૂર્વ પ્રમુખ જોશ ફેલમેનની સાથે લખવામાં આવેલા નવા રિચર્સ પેપરમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા આ સમયે બેન્ક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનબીએફસી અને રિયલ એસ્ટેટ જેવા 4 ક્ષેત્રોની કંપનીઓના લેખા-જોખાના સંકટનો સામનો કરી રહ્યું છું.
હાવર્ડ યૂનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિકાસ કેન્દ્ર માટે તૈયાર ટેક્નિકલ પેપરના ડ્રાફ્ટમાં સુબ્રમણ્યમે લખ્યું કે નિશ્ચિત રૂપે આ એક સાધારણ મંદી નથી. ભારતમાં ગંભીર આર્થિક મંદી છે અને અર્થવ્યવસ્થા એવું લાગે છે કે ICU માં જઇ રહી છે.
સુબ્રમણ્યમે ડિસેમ્બર, 2014માં ટૂઇન બેલેન્સ શીટ સમસ્યાના પ્રતિ ચેતવ્યા હતા. એ સમયે તેઓ નરેન્દ્ર મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર હતા. તેઓએ ત્યારે કહ્યું હતું કે ખાનગી કંપનીઓ પર વધતુ દેવું બેન્કો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે.