CBI ના પૂર્વ ડાયરેક્ટર રહી ચૂકેલા પૂર્વ IPS અધિકારી અશ્વની કુમારે આત્મહત્યા કરી લીધી છે, શિમલા સ્થિત તેમના નિવાસસ્થાન પર લટકેલી અવસ્થામાં તેમનો મૃતદેહ પોલીસને મળ્યો હતો.
CBI ના પૂર્વ ડાયરેક્ટર હતા અશ્વિનીકુમાર
નાગાલેંડ અને મણિપુરના ગવર્નર રહી ચૂક્યા છે
હિમાચલ પ્રદેશના DGP પણ રહી ચૂક્યા છે
CBI ના પૂર્વ ડાયરેક્ટર રહી ચૂકેલા પૂર્વ IPS ઓફિસર અશ્વિનીકુમાર એક રોલ મોડેલ હતા, અને આ વાત ઘણી હેરાન કરી નાખવા વાળી છે. આવું શિમલાના SP મોહિત ચાવલા એ એક બાયનમાં કહ્યું હતું.
હિમાચલના DGP રહી ચૂક્યા છે અને બે રાજ્યોના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે
અશ્વનીકુમાર એ હિમાચલ પ્રદેશ રાજ્યના પોલીસવડા એટલે કે DGP તરીકે પણ સેવાઓ આપી હતી. જે બાદ તેમણે નાગાલેંડના રાજ્યપાલ તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી. આ સિવાય તેમણે એક ટૂંકા સમયગાળા માટે મણિપુર ના રાજ્યપાલ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
Former Governor of Manipur and Nagaland, and Ex-CBI Director Ashwani Kumar found hanging at his residence in Shimla: Mohit Chawla, SP Shimla. #HimachalPradesh
અશ્વિની કુમાર ઓગસ્ટ 2008 થી નવેમ્બર 2010 સુધી CBI ના ડિરેક્ટર પણ હતા. 69 વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી હતી.
તેનો મૃતદેહ અશ્વની કુમારના શિમલાના બ્રાકહાસ્ટ સ્થિત ખાનગી રહેઠાણમાં લટકતો મળ્યો હતો. હિમાચલમાં રહેતા પૂર્વ IPS અધિકારીએ આ ભયાનક પગલું કેમ લીધું તે જાણી શકાયું નથી. જોકે SP સિમલા મોહિત ચાવલાની આગેવાનીમાં પોલીસની ટીમ ઘટના સ્થળે રોકાયેલી છે અને આ કેસમાં તપાસ કરી રહી છે.
પોલીસે સ્થળ પરથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં એવું લખ્યું છે કે, જીવનથી કંટાળીને, હું હવે આગળની યાત્રા માટેનીકળી ગયો છું. આ આત્મહત્યાની ઘટનાથી બધા જ ચોંકી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે થોડા સમયથી ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા.
ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી અશ્વિની કુમાર એ સિમલામાં આપઘાત કર્યો
અશ્વની કુમાર મણિપુર અને નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ પણ હતા. અગાઉ અશ્વિની કુમાર ઓગસ્ટ 2006 થી જુલાઈ 2008 સુધી પોલીસ મહાનિદેશક હતા. બાદમાં તે CBI ના ડિરેક્ટર પણ બન્યા અને તેમણે આ પદ 2 વર્ષથી વધુ સમય સુધી સંભાળ્યું.
સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર તેઓ છેલ્લા અમુક સમયથી ડિપ્રેશનનો શિકાર હતા. IGMC થી પોલીસ અને ડોકટરોની એક ટીમ જો કે ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી હતી.