ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ મંત્રી આઇ.કે જાડેજાને ગઇ કાલે હાર્ટ અટેક આવતા સારવાર અર્થે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જો કે, હાલમાં તેઓની તબિયત સ્થિર હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું.
ભાજપ નેતા અને પૂર્વ મંત્રી આઈ.કે જાડેજાને કરાયા હોસ્પિટલમાં એડમીટ
હાર્ટ એટેક આવતા યુ.એન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ
હાલમાં તબિયત સ્થિર હોવાનું પરિવારજનોએ જણાવ્યું
PM મોદીએ આઈ.કે જાડેજાની કામગીરીની કાર્યકરો વચ્ચે પ્રશંસા કરી
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ આઈ.કે જાડેજાની કામગીરીની કાર્યકરો વચ્ચે પ્રશંસા કરી હતી. PM મોદીએ સરકારની યોજનાઓનું કાર્ડ જરૂરિયાતમંદો વચ્ચે વહેંચવાના આઈ.કે જાડેજાના સરાહનીય કાર્યની પ્રશંસા કરી કાર્યકર્તાઓને તેમાંથી શીખ લેવા પણ જણાવ્યું હતું.
કાર્યકર્તા તરીકે જાહેર જીવનની ફરજના ભાગ રૂપે કરેલા કાર્ય ની વરિષ્ઠ નેતૃત્વ દ્વારા સકારાત્મકતા ના ઉદાહરણ તરીકે પ્રશંસા થાય ત્યારે કાર્યકર્તા તરીકે ખુબજ ગર્વ નો અનુભવ થાય તે સ્વાભાવિક છે પણ તેનાથી પણ વધુ માન અને ગર્વ વરિષ્ઠ નેતૃત્વ પર થાય છે,આભાર પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી pic.twitter.com/eYcWrsn6Hj
જો કે તેઓને ગઇ કાલે હાર્ટ એટેક આવતા તેમને સારવાર અર્થે યુ.એનમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પરંતુ હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યાં છે. તબીબોએ આપેલી માહિતી અનુસાર, હાલમાં તેમની તબિયત સ્થિર છે તેમજ આજે તેમની એન્જીયોગ્રાફી પણ કરાશે અને સ્ટેન્ડ પણ મુકાશે. રિપોર્ટ્સ આવ્યા બાદ ડૉક્ટરની સલાહ મુજબ આગળની સંપૂર્ણ ટ્રીટમેન્ટ આપવામાં આવશે.
બીજી લહેર દરમિયાન આવી ગયા હતા કોરોનાની ઝપેટમાં
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન આઈ.કે જાડેજા કોરોના પોઝિટિવ આવ્યા હતાં. આ બીજી લહેર દરમિયાન ગુજરાત ભાજપના અનેક નેતાઓ કોરોનાગ્રસ્ત થયા હતાં. જેમાં એપ્રિલ, 2021માં આઈ.કે જાડેજા કોરોના સંક્રમિત થતા તેઓને સારવાર અર્થે યુ.એન હોસ્પિટલમાં કરાઇ હતી. જો કે, તેઓ કોરોનાની જંગ લડીને હેમખેમ તેમાંથી બહાર નીકળી ગયા હતાં.